Book Title: Jain_Satyaprakash 1948 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વૈધ ૧૩ ક. લા. : નકામું શેને ગણવું, તેને લગતે આપ મને એક દાખલો આપશે ? જેને નકામું કહે છે કે શું તે મને સમજાવશે ? કોઈ પણ બાબતને નકામી કે કામની માની લેવા માટે કઈક રણ તે જોઇશે જ. આણંદજી કલ્યાણજીની પેઢીને વહીવટ તરફ નજર કરે. તે પેઢી કેટલાંયે મંદિર સંભાળે છે, અને તેનું વાર્ષિક બજેટ રૂપિયા ત્રણ લાખ લગભગનું હોય છે, તે બજેટની વિગતમાંથી નકામી લેખી શકાય એવી એક પણ બાબત મને બતાવો. ચી. ચ. શાહ : મારો આ પ્રશ્ન સામાન્યતઃ છે. આણંદજી કલ્યાણજીની પેઢીને ઉદ્દેશીને નથી. ક. લા. : એ સબંધમાં મેં જણાવી દીધું છે, કે હું તો અહીંયાં જેને તરફથી રજુઆત કરવા આવ્યો છું, ઘારપરેઃ વિગતો નક્કી કરવાનું કામ ઓ હસ્તક રહેવું જોઈએ, ૫ણુ વિગતો નક્કી કર્યા બાદ તેના અમલમાં કાંક ભૂલ કે ભંગ થતો હોય, તે સરકાર દખલગીરી કરે તેમાં આપને વાંધો નથી એ પ્રકારની મારી સમજણ બરાબર છે? ક, લા. : જે કંઈ પણ પ્રકારની ગેરવ્યવસ્થા ચાલતી હોય, તે સરકાર ભલે દખલગીરી કરે. ઘારપુરે : ધારો કે રોશની પાછળ કેટલા મણ તેલ વાપરવું, તે બાબત બજેટમાં નક્કી કર વામાં આવી છે, આને લગતી વિગતો ટ્રસ્ટીઓએ નક્કી કરી હોય, પણ વિગતના અમલમાં ગેરવ્યવસ્થા માલૂમ પડે તો સરકાર વચ્ચે પડે કે નહિ? ક. લા. : નહિ સાહેબ. તેના અમલમાં એવી દખલગીરી થવી ન જોઈએ. જે કઈ પણ પ્રકારની ઉચાપત થતી હોય, અથવા તો કોઈ વ્યક્તિ તેમાંથી અંગત લાભ ઉઠાવતી હેય, તે સરકાર જરૂર વચ્ચે પડે, પણ વિના ચાલુ અમલમાં કોઈ પણ પ્રકારની દખલગીરી હેવી ન જોઈએ. સ ધારો કે તમેએ દેવ ઉપર ૧૦ શેર દૂધ ચઢાવવાનું નક્કી કર્યું છે, અને ધારી લો કે દૂધ તેમને ચઢાવાતું નથી. તો આ બાબતમાં સરકારને દરમ્યાનગીરી કરવા દેશે ? ક. લા. : ના સાહેબ, આ તે સાવ નજીવી બાબત છે, અને તે એક એવી બાબત છે, કે જેમાં જે સરકાર આવી બાબતમાં દરમ્યાનગીરી કરવાનું શરૂ કરે તો દુનિયામાં દરેક જગ્યાએ સરકાર અપ્રિય બની જાય. સ ઃ વિગતોમાં નહિ ઊતરતાં ધારો કે મંજુર કરેલી ફરજ જે અદા કરવામાં નહિ આવે તે તે કરાવવા માટે સરકારને દરમ્યાનગીરી કરવા છે કે કેમ? ક લાઃ ઝીણી બાબતમાં નહિ જ. નાણુની ઉચાપત કે કેવળ દુરુપયોગ થઇ રહ્યો હેય એવા સંજોગોમાં જ. દાખલા તરીકે જેનોમાં ભીક્ષા આપવાનો કઈ રીતરિવાજ નથી. હવે ધારો કે આણંદજી કલ્યાણજી . ૩૦૦૦૦ જેવી મોટી રકમ આવતી કાલથી ભીક્ષા આપવા પાછળ ખરચવા માંડે છે. એ સંજોગોમાં સરકાર જરૂર વચ્ચે પડી શકે છે. અને કહી શકે આ તમારી સત્તાની બહારની વાત છે, એટલે આ અમે નહિ થવા દઈએ. સંક્ષેપમાં સરકારી દખલગીરી ઓછામાં એ છી લેવી જોઈએ. ૪૦ : ઉચાપત કે દૂરપયોગ સિવાય બીજી કોઈ પણ બાબતમાં સરકારી દખલગીરી ન હેવી જોઈએ એવું મારું કહેવું ખરું છે? કલા. તે ખરું છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28