Book Title: Jain_Satyaprakash 1947 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] ગ્રથિમ, વેષ્ટિમ, પરિમ અને સંઘાતિમ ૩૪૧ અણગદ્દારની તિ (પત્ર )માં હરિભર શિમ વગેરે નીચે મુજબ સમજાવે છે – "प्रन्थिसमुदायज पुष्पमालावत् जालिकावद् वा, निवर्तयन्ति च केचिदतिशयनैपुण्यान्वितास्तत्राप्यावश्यकवन्तं साधुमित्येवं वेष्टिमादिष्वपि भावनीयम, तत्र वेष्टिमं वेष्टनकसम्भवमानन्दपुरे पुरकवत्, कलाकुशलभावतो वा कश्चिद् वस्त्रवेष्टनेन चावश्यकक्रियायुक्तं यतिमवस्थापयति, पूरिमं-भरिमं सगर्भरीतिकादिमृतप्रतिमादिवत् , सङ्घातिमं कञ्चुकवत्" આમ જે કન્યિમાદિના સ્પષ્ટીકરણાર્થે અહીં ત્રણ ઉલ્લેખો નોંધાયા તે પ્રત્યેકને અનુક્રમે અર્થ હું આપું છું – (૧) જે સૂતર વડે માળાની માફક ગુંથાય તે “મંથિમ’. જે ફૂલની માળાના લંબુસક (? લાંબાહાર)ની જેમ વીંટાળાઈને બતાવાય તે “વેષ્ટિમ”. જે સુવર્ણ ઇત્યાદિની પ્રતિમાની પેઠે પૂરીને રચાય તે “પૂરિમ”૧ જે રથની માફક સંઘાત વડે (પડાં વગેરે એકત્રિત કરવાથી) બને તે “સંઘાતિમ’. - (૨) જે સૂતર વડે ગુંથાય તે “ગ્રમિ ’. જે ફૂલના મુગટની પેઠે ઉપર ઉપર શિખરના આકારે માળાની સ્થાપના તે વેષ્ટિમ”. નાનાં છિદ્રોમાં ફૂલ મૂકીને જે પૂરાય તે રિમ. એક ફૂલની દાંડીમાં અન્ય ફૂલનો પ્રવેશ કરાવી જે જાય તે “સંધાતિમ’. (8) ફૂલની માળા કે જાળીની જેમ ગ્રથિસમૂહ વડે બનાવાયેલું તે “પ્રન્થિમ. કેટલાક અતિશય કુશળતાવાળા જ “અવશ્યક ક્રિયા કરતા મુનિને પણ રચે છે. આ પ્રમાણે વેષ્ટિમ વગેરે માટે સમજી લેવું. “આનન્દપુરમાંના પૂરકની પેઠે વીંટાળીને બનાવેલું તે “ષ્ટિએ'. કળાની કુશળતાને લઈને કોઈક વસ્ત્ર વીંટાળીને આવશ્યક ક્રિયા કરતા સાધુને સ્થાપે છે. સગર્ભ પિત્તળ વગેરેથી ભરેલી પ્રતિમાની પેઠે જે ભરેલું હોય તે “પૂરિમ.' કાંચળીની પેઠે કકડા એકઠા કરી બનાવાયેલું તે “સંઘાતિમ’. આ પ્રમાણે આ લઘુ લેખ પૂર્ણ થાય છે એટલે જેન હસ્તલિખિત પ્રતિઓના મારા વર્ણનાત્મક સુચીપત્ર (મંયાંક ૧ર૯૫ ) મત નિમ્પલિખિત પદ્ય નેધી વિરમું છું “રાવતારો વ: પાયાત મનીયાસનયુતિઃ | - किं श्रीपो नहि किं दीपो नहि वामाङ्गजो जिनः॥॥२ ગોપીપુરા, સુરત, તા. ૨૧-૫-૪૭ ૧ પ્રતિમામાં છિદ્ર હોય ત્યાં સુવર્ણ વગેરે ભરાય છે. ૨ દશ અવતારવાળા અને મને હર અંજનના જેવી કાંતિવાળા (મહાનુભાવ) તમારું રક્ષણ કરે. (દશ અવતાર કહ્યા એટલે પદ્યકાર પૂછે છે.) શું લક્ષ્મીના પતિ વિષ્ણુ છે ? (ઉત્તર) નહિ. બીજો પ્રશ્ન “દશીને બદલે ‘વાટ' રૂ૫ “દિશાને અનુલક્ષીને પૂછે છે.) શું એ દીવો છે? (ઉત્તર) નહિ. એ તે વામા દેવી)ના નદન તીર્થંકર (પાર્શ્વનાથ) છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36