Book Title: Jain Satyaprakash 1938 11 SrNo 40
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ ૨૮૪] શ્રી જન સત્ય પ્રકાશ હતું. બીજી બાજુ સામે યજ્ઞકુંડમાં અગ્નિની ધગધગતી જ્વાલાઓ ઉછળી રહી હતી. મેષ ઉપર મંત્રોનાં ઉરચાર થઇ રહ્યાં હતાં. ઘાતકી મારા હાથમાં ચમકતી તીર્ણ ધારવાળી તરવાર લઈ ઉભા હતા. આવું ઘાતકી દૃશ્ય નિહાળતાં મેવના શરીરના રેમેરોમમાં કંપારી છુટવા લાગી. રાતીચોળ બની ગયેલી આંખમાંથી અશ્રુની ધારા છુટવા લાગી. અવ્યકત (અસ્પ) આજંદનાદ કરતે એ મેષ ત્યાં બુમેબુમ પાડવા લાગે, છતાં હિંસારાક્ષસીના ઉસકે મદિરાપાનથી મદોન્મત્ત બનેલા પાગલની માફક નિષ્ફર બની મેને યજ્ઞકુંડમાં આતિ આપવા એકદમ મંત્રોનાં ઉચ્ચારણ પૂર્વક સજજ થયા. તે વખતે મેપ વધુ ભયથી બરાડા પાડવા લાગ્યો અને યજ્ઞમંડપમાં આહાર મચી છે. ધનપાલની યુક્તિઓ આપું હુલકાવક દશ્ય જોઈ રાજા ભેજ કવિ ધનપાલને પૂછવા લાગ્યા કે હે ધનપાલ, આ મેવ બરાડા પાડતો શું કહે છે, તેનું વર્ણન કરે. જેના મેરેજમાં સત્તા પરમ ધર્મઃ” એ મહાન સુત્ર ગૂંજી રહ્યું હતું, જેના હૃદયમાં દયાનું નિર્મળ ઝરણું વહેતું હતું એવા સમયજ્ઞ કવીશ્વર ધનપાલે નિડરતા પૂર્વક જણાવ્યું હે રાજેન્દ, આપને એ મેવ એમ સૂચવે છે કે – " नाऽहं स्वर्गफलोपभोगरसिको नाभ्यर्थितस्त्वं मया, संतुष्टस्तृणभक्षणेन सततं साधो न युक्तं तव ।। स्वर्ग यांति यदि त्वया विनिहता यई ध्रवं प्राणिनो, यज्ञ किं न करोषि मातृपितृभिः पुत्रैस्तथा बांधवैः ॥१॥" આપ મને યજ્ઞકુંડમાં આહુતિ આપવાને સજ્જ થયા છે, પણ સ્વર્ગના દૈવી મુખ ભેગવવાની લેશમાત્ર મને અભિલાષા નથી, અને કોઈ વખત આપને મેં એ માટે પ્રાર્થના પણ કરી નથી, હું તે સદા વણ (ઘાસ) ભક્ષણ કરીને સંતુષ્ટ રહું છું, માટે હે સાધુ પુરૂષ, મારે વાત કરે એ આપ જેવાને યુકત નથી. આટલાથી પણ નહીં અટકત મેષ આગળ વધીને શું બોલે છે કે- પજ્ઞકુમાં હોમાતાં પશુઓ જે સાચે જ સ્વર્ગ લોમાં સીધાવતાં હોય તે હે ભૂપ, તારાં માતા, પિતા, પુત્ર, તેમજ બાંધવ વગેરેને યજ્ઞકુણ્ડમાં આહુતિ આપીને સ્વર્ગનાં સુખ કેમ આપતો નથી ?” એમ આ મેળા આપને વદે છે. આ સાંભળવાની સાથે જ રાજાના હૃદયમાં ધાનલ સળગી ઉઠે. તેનાં નેત્રો લાલ થઈ ગયાં અવશ્ય થરથર કંપવા લાગ્યાં. પણ યુતિ આગળ તે શું કરે? પછી રાજેન્દ્ર મોધ શાંત કરવાની ખાતર અને તેને સન્માર્ગમાં લાવવાની ખાતર પુન કવીંદ્ર ધનપાલે યુકિતપુરસ્સર, શાસ્ત્રોના અનેકશઃ પ્રમાણે આપવા માંડયાં– " यूपं छित्वा पशून हत्वा, कृत्वा रुधिरकर्दमम् ॥ यद्येवं गम्यते स्वर्ग, नरके केन गम्यते ॥ १॥" “યજ્ઞમાં પશુઓને બાંધવાને ચૂપ (થાંભલો) રોપ, તેની સાથે પશુઓને બાંધી જાજ્વલ્યમાન અગ્નિકુંડમાં હમ કરવા માટે પશુઓને ઘત કરી, રકતની નદીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44