Book Title: Jain Satyaprakash 1938 03 SrNo 32
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટાંગયોગ સંયોજકઃ—શ્રીયુત શકરલાલ ડાહ્યાભાઈ કાપડિયા ( ગતાંકથી ચાલુ ) આસન : સાધક સુખ પૂર્વક સ્થિરતાથી જે રીતે બેસી શકે તે રીતને આસન કહેવાય છે. આસનના અનેક પ્રકાર છે. સંસારમાં જેટલા જીવ છે અને તેમને બેસવાના જે પ્રકાર છે તે સર્વાં આસન કહેવાય છે. પદ્માસન; વીરાસન, સ્વસ્તિકાસન, ભદ્રાસન, દણ્ડાસન, મયૂરાસન, આદિ પ્રસિદ્ધ આસનેા છે. સાધકના સ્વાભાવિક પ્રયત્ન શિથિલ પડી જાય તો જ તે આસદ્ધિ મેળવી શકે છે, કારણ કે સ્વાભાવિક પ્રયત્ન શિથિલ ના પડે તે સાધકને શરીરમાં કમ્પ લાગે છે. માટે આસ-સદ્ધિ કરનારને સ્વાભાવિક પ્રયત્નને શિથિલ કરવા જોઇએ. બીજા મતે લાંબા વખત સુધી નિશ્ચય પૂર્વક એક જ આસને બેસવાને અભ્યાસ કરવા તેને આસન કહે છે. આસસિદ્ધિ એછામાં ઓછા ૩ કલાકને ૩૬ મીનીટ અને વધુમાં વધુ ૪ કલાકને ૪૮ મિનીટ એક સ્થિતિ બેસી રહેવામાં થાય છે. પ્રાણાયામ : શાસ્ત્રોકત વિધિથી પોતાના સ્વાભાવિક શ્વાસ અને પ્રશ્વાસને રોકવું તેને પ્રાણાયામ કહે છે. બહારના વાયુના નાસિકાથી જે અન્તઃ પ્રવેશ થાય છે તેને શ્વાસ કહે છે અને ભિતરને વાયુ જે બહાર નીકળે છે તેને પ્રશ્વાસ કહે છે. આ શ્વાસ અને પ્રશ્વાસની ગતિને શાસ્ત્રાકત રીતે અવરોધ કરવા તેને પ્રાણાયામ કહે છે. પ્રાણાયામના ત્રણ ભેદ છે. (૧) પૂરક (૨) કુમ્ભક અને (૩) રેચક. આનું વિશેષ વર્ણન શાસ્ત્ર દ્વારા જાણી લેવું. (૩૦૧ મા પાનાનું અનુસંધાન ) જેવા મળે છે, તેવા સંગ્રહ કરવા જરૂરના છે. આવિક દન આધ્યાત્મિક આઠ પા યરીઓ માન છે, તે આ પ્રમાણેઃ-(૧), ખાટ્ટા (ર), પદવીમંસા (૩), ઉન્નુગત (૪), સેખ (૫) સમણુ, (૬), જિન (૭), પન્ન (૮); આ આઠમાં પ્રથમની ત્રણ અવિકાસ અને પાછલની પાંચ ભૂમિકા વિકાસક્રમની જણાય છે. ત્યાર બાદ મોક્ષકાલ હાવા જોઈએ. (સમાપ્ત) ૧ “ જિજીનિકાચ ’” નામના પ્રાચીન બૌદ્ધ ગ્રંથના “સામન્ત્ર સુત્ત ” પ્રકરણમાં આજીવિક સપ્રદાયના નેતા “ મખલી ગેાસાલ ને ઉલ્લેખ કરેલ છે. આ ગ્રંથની ખુāષકૃત “ સુમળા વિલાસિની ” ટીકામાં આજીવિક દર્શનની આડ પાયરીએનું વણન કરેલ છે. (1) જન્મ દીવસથી સાત દીવસ સુધી ગર્ભનિષ્ક્રમણુજન્ય દુઃખને લીધે પ્રાણી મ (મેામુહ) સ્થિતિમાં રહે છે. આ પહેલી મદ ભૂમિકા. (૨) દુર્ગતિમાંથી આવીને જે ખાળકે જન્મ લીધેલ હોય છે તે વારંવાર વે અને વિલાપ કરે છે તેમજ સુગ ંધિમાંથી આવી જન્મ લીધેલ બાળક સુગ ંધિનું સ્મરણ કરી હાસ્ય રે છે, આ ખિા (ક્રીડા) ભૂમિકા. (૩) માખાપના હાથ કે પગ પકડી અગર ખાટલા કે ખાØડ પકડીને બાળક જમીન ઉપર પગ માંડે છે. તે પદવીમસા ભૂમિકા. (૪) પગથી સ્વતંત્ર રીતે ચાલવાનું સામર્થ્ય આવે છે તે ઉન્નુગત ( ઋતુગત ) ભૂમિકા. (૫) શિલ્પકળા શીખવાનો વખત તે સેખ ( શૈક્ષ ) ભૂમિકા. (૬) ધરથી નીક્લી સંન્યાસ લીધેલ વખત તે સમણુ (શ્રમણ) ભૂમિકા. (૭) આચાર્યને સેવી જ્ઞાન મેળવવાના વખત તે જિન ભૂમિકા. (૮) પ્રાજ્ઞ થયેલ ભિક્ષુ (જિન) જ્યારે કઈ પણ નથી ખેલતા તેવા નિ લેજ શ્રમણની સ્થિતિ એ પત્ર (પ્રાજ્ઞ) ભૂમિકા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44