Book Title: Jain Sanskrit Sahityano Itihas Part 03
Author(s): Munichandrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 16
________________ શ્રી કાપડિયા વિષે થોડુંક ) –આ. પ્રદ્યુમ્નસૂરિ. વઘાના ક્ષેત્રમાં પણ એક કાળે ગુજરાતનું નામ હતું. ગુજરાતમાં પણ જૈન ગૃહસ્થ વિદ્વાનોની એક આદર્શપરંપરા હતી તે આનંદ અને ગૌરવનો વિષય છે. એ બધાં ભિન્નભિન્ન વિષયના નિષ્ણાત હતા. એ બધાની નામાવલિ બનાવીએ તો સી. ડી. દલાલનું નામ પહેલુ લેવું પડે. પછી તો મોહનલાલ દલીચંદ દેસાઈ, કુંવરજી આણંદજી, મોહનલાલ ચોક્સી, પં. સુખલાલજી, પં. બેચરદાસ, ભગવાનદાસ હરખચંદ, પાઈયસદમણવાવાળા હરગોવિન્દ ત્રિકમલાલ, સુશીલ આ યાદી હજી લંબાવી શકાય તેમ છે પણ આપણે તો વાત કરવી છે હીરાલાલ રસિકદાસ કાપડિયાની. એમનું નામ પણ એજ વિદ્વાનોની હરોળમાં શોભે તેવું છે. એક જમાનો હતો તમે જૈન ધર્મ પ્રકાશ, જૈન આત્માનંદ પ્રકાશ, જૈન સત્ય પ્રકાશ, જૈનયુગના કોઈ પણ અંકની અનુક્રમણિકા ઉપર નજર નાંખો તો એક અને ક્યારેક તો બે લેખના લેખક હી. ૨. કાપડિયા હોય જ. મારે હી. ૨. કાપડીયાનો સંપર્ક ઘણી વહેલી વયે શરૂ થયો હતો. વાત છે વિ. સં. ૨૦૧૬ની. સુરતમાં જ ચોમાસુ હતા. પૂજય ઉપા. શ્રી મેરુવિજયજી મહારાજ, પૂજ્ય પં. શ્રી દેવવિજયજી મહારાજ અને મારા ગુરુ મહારાજ મુનિરાજશ્રી હેમચન્દ્રવિજયજી મહારાજ આદિ ઠાણા સાત હતા. લગભગ રોજ બપોરે હી. ૨. કાપડિયા આવે. મારા ગુરુ મહારાજ પાસે બેસે. મારી વય ૧૩ની. સંસારીપણામાં હતો. ઝાઝી ખબર ન પડે પણ વાતોમાં રસ પડે. પછી વિ. સં. ૨૦૨૨માં ગોપીપુરા-સુરત ચોમાસુ થયું ત્યારે તો તેઓ નિયમિત ચાર વાગે પૂજય ધર્મધુરન્ધરસૂરીશ્વરજી મહારાજ પાસે આવે. દિવસ દરમ્યાન જે વાંચ્યું લખ્યું હોય તેમાં જે જિજ્ઞાસા જાગી હોય પ્રશ્નો જાગ્યા હોય તે નોંધીને લાવ્યા હોય તેની ચર્ચા ચાલે. ત્યારે મને બરાબર સમજાતું હતું. મહારાજ સાહેબ ત્યારે ૩ થી ૪ શ્રી ભગવતીસૂત્રની વાચના આપતા હતા તેમાં આવતાં શબ્દોને તેઓ ઝીલતાં તેના મૂળ સુધી પહોંચવાની મથામણ કરતાં. એક વાર મૂળ ભગવતીજીમાં મોભ શબ્દ આવ્યો. અને કાપડિયાનાં કાન ચમક્યાં. તેઓએ એક કલાકની મહેનત કરીને વળતે દિવસે એક પાનું ભરીને “મોભના સગા વહાલા” એવાં જ કોઈ મથાળાથી એક નાનો લેખ લખી દીધો અને જૈન આત્માનંદ સભા ઉપર મોકલી આપ્યો અને જૈન આત્માનંદ પ્રકાશમાં તે પ્રસિદ્ધ પણ થઈ ગયો. એ અંક લઈને આવ્યા વળી બતાવ્યો એટલી ચીવટ કાળજી રાખે. મૂળે એ ગણિતના પ્રોફેસર. પણ વિદ્યાના જેટલાં પ્રવાહો છે તે બધામાં જ ખૂબ રસ ભરી જિજ્ઞાસા હતી. તેથી જ એક વાર તેઓ કહેતા હતા કે પ્રોફેસર હતો ત્યારે રોજ ચા પીવાના સમયે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 316