Book Title: Jain Sahityano Swadhyaya
Author(s): Kavin Shah
Publisher: Ritaben Kirankumar Shah

View full book text
Previous | Next

Page 238
________________ - ૧૯. બાલાવબોધ – જૈન સાહિત્યની મૂળભૂત કૃતિઓ પ્રાકૃત ભાષામાં રચાઈ હતી. ત્યારપછી મૂળગ્રંથોની ટીકા સંસ્કૃતમાં પ્રાપ્ત થાય છે. આ કૃતિઓ માત્ર વિદ્વાન વર્ગને જ આસ્વાદયોગ્ય બને છે. આવી કૃતિઓનું વિવેચન અને અનુવાદની જૈન સાધુઓની પ્રવૃત્તિથી જૈન-જૈનેત્તર સમાજમાં ધાર્મિક જ્ઞાનપ્રાપ્તિ માટેનો એક નૂતન માર્ગ અસ્તિત્વમાં આવ્યો છે. બાલાવબોધ આ પ્રકારની રચનાઓનું ઉદાહરણ છે. બાલ-અવબોધની સંધિથતાં બાલાવબોધ શબ્દ રચાયો છે. બાલનો અર્થ બાળક નહિ પણ જ્ઞાનના અર્થમાં બાળક છે એમ સમજવાનું છે. અન્ય રીતે વિચારીએ તો બાળકને જ્ઞાન હોય તેવી રીતે ધર્મગ્રંથોમાં જે અગાધ જ્ઞાનનો વારસો છે તેનું જ્ઞાન નથી એવી વ્યક્તિ બાલ-બાળક છે. આવા બાલ જીવોને માટે અવબોધ માટે રચાયેલી કૃતિ બાલાવબોધ કહેવાય છે. ગદ્ય સાહિત્યની પ્રાચીન રચના તરીકે જૈન સાહિત્યના બાલાવબોધનું પ્રદાન ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. જૈન સાહિત્યમાં બાલાવબોધ શબ્દ પ્રચલિત છે. ડૉ. ભોગીલાલ સાંડેસરા બાલાવબોધ વિશે જણાવે છે કે : બાલાવબોધ જૈન સાહિત્યનો શબ્દ છે તેમ છતાં અર્થ વિસ્તારથી વિચારીએ તો ભાગવત્, ભગવદ્ ગીતા, ગીતગોવિન્દ, ચાણક્યનીતિ શાસ્ત્ર, યોગવસિષ્ઠ, સિંહાસન બત્રીસી, પંચાખ્યાન, ગણિતસાર આદિ જે બીજી અનુવાદરૂપ રચનાઓ મળે છે તે માટે પણ સાહિત્યના ઈતિહાસમાં એ શબ્દ પ્રયોજી શકાય. આ બધા ગદ્યાનુવાદોનો ઉદ્દેશ એક જ છે. બાલાવબોધમાં મૂળ ગ્રંથનો અનુવાદ હોય છે તો કેટલીક વાર દષ્ટાંત કથાઓ કે અવાન્તર ચર્ચાઓ દ્વારા મૂળનો અનેકગણો વિસ્તાર કરેલો હોય છે. બાલાવબોધ ઉત્તરકાલીન પ્રકાર “સ્તબક” અથવા “ટબો' રૂપે ઓળખાય છે. બાલાવબોધ એક શિષ્ટ રચનાનો પ્રકાર છે. બાલાવબોધની રચનાઓ ૨૧૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270