Book Title: Jain Heritage and Beyond
Author(s): Shailesh Shah
Publisher: Oshwal Associations of The UK

Previous | Next

Page 112
________________ કારતક પૂર્ણિમા આ દિવસે ચાતુર્માસની પૂર્ણાહુતિ થાય છે. ચોમાસાના ચાર માસ લગાતાર સ્થિરવાસ રહેલા જૈન સાધુ-સાધ્વીઓ આ દિવસથી પોતાની વિહારયાત્રાનો શુભારંભ કરે છે.. આ દિવસે સુપ્રસિદ્ધ જૈન તીર્થ શત્રુજ્ય (પાલીતાણા)ની યાત્રાનું ખૂબજ મહત્ત્વ મનાય છે. આથી હજારો ભાવિકો ત્યાં આ દિવસે યાત્રાએ જાય છે. આ યાત્રાના પ્રતીકરૂપે દરેક ગામમાં શત્રુંજયનાં પટનું જાહેર દર્શન યોજાય છે. સ્થાનિક ભાવિકો કારતક પૂનમે આ પટના દર્શન કરવા જાય છે. ત્યાં ચૈત્યવંદન, દેવવંદન, સ્તવના, ૨૧ ખમાસમણા વગેરે આરાધના કરે છે.' આ દિવસે ગુજરાતના પરમોકારી, પરમજ્ઞાની અને પ્રભાવક જૈનાચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજીનો જન્મ દિવસ છે. આથી તેમનો પણ ગુણાનુવાદ કરવામાં આવે છે. મૌન એકાદશી માગશર સુદ ૧૧ની, જૈનો "મૌન એકાદશી"ના પર્વ તરીકે આરાધના કરે છે. આ દિવસે દોઢસો જિનેશ્વરના જન્મ, દીક્ષા, પૂર્ણજ્ઞાન, નિર્વાણ આદિ વિશિષ્ટ પ્રસંગો બન્યા છે. આથી તેનો મહિમા અને મહત્ત્વ છે. આ દિવસે ભાવિકો તપે સાથે વ્રત કરે છે. આખા દિવસનું પૂર્ણ મૌન રાખે છે અને જાપ, ધ્યાન આદિ સાધનામાં રત રહે છે. સુવ્રત શ્રેષ્ઠિની સુંદર કથા આ પર્વ સાથે જોડાયેલી છે. અક્ષય તૃતીયા વૈશાખ સુદ ત્રીજને "અક્ષય તૃતીયા" કહેવામાં આવે છે. સુદીર્ધ વરસીતપના (સળંગ ૧ વરસ એકાંતરે ઉપવાસ - તા) પારણાનો આ દિવસ છે. વરસીતપના તપસ્વીઓ આ દિવસે મુખ્યત્વે પાલીતાણા જઈને ગિરિરાજ શ્રી શત્રુંજયની પવિત્ર છાયામાં બેસીને શેરડીના રસથી વિધિવતુ પારણું કરે છે. આ કાળચક્રના પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવે વૈશાખ સુદ ત્રીજના રોજ લગાતાર એક વરસના ઉપવાસનું પારણું કર્યું હતું. આ તપ તેમનું સમ્યક અનુસરણ છે. પોષ દશમી આ કાળચક્રના ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથનો જન્મ માગશર વદ ૧૦ના વારાણસી ગામમાં થયો હતો. આ દિવસ "પોષ દસમી" તરીકે જૈનોમાં ખ્યાત અને આરાધ્ય બન્યો છે. હજારો આરાધકો, ખાસ કરીને શંખેશ્વર તીર્થમાં જઈને અઠ્ઠમ તપ સાથે શ્રી પાર્શ્વપ્રભુની આરાધના કરે છે. તેમના નામનો જાપ કરે છે. ધ્યાન ધરે છે.. હાર્દિક શુભેચ્છા ખરેખર આપણે ઘણાજ ભાગ્યશાળી છીએ લંડનનાં ઓશવાલ સેન્ટરની ધીંગીધરા મધ્યે શિખરબંધી જિનાલયની પ્રતિષ્ઠા મહોત્સવ સમસ્ત હાલારી વિશા ઓશવાલ જૈન ભાઇઓ બહેનો નાના ભૂલકાઓનાં હ્યદયનાં ઉંડાણનાં ઊંચા ભાવથી સોનેરી અવસર ઉજવશે મણીબેન મણીલાલ - દિમી - પ્રબોધ - સોનલ - અતુલ - નિષ્મા - કેવલ - દિલન - કુનાલ - રાધીકા - વિવેક 7, RYHOPE ROAD, LONDON N11 1DR 116/

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174