Book Title: Jain Dharm Prakash 1923 Pustak 039 Ank 08 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મોપદેશ–સૂક્તવચન. ૨૩૫ ધર્મોપદેશ-સૂક્તવચન. (પુરાતન આચાર્ય પ્રણીત -અનુવાદિત) ૧ ત્રિભુવનગુરૂ શ્રી વિરપ્રભુને પ્રણમી યત્નથી સંગ્રહ કરી સદા ઉપકારક થાય તેવા કેટલાક સૂકા વચનો સ્વપરના હિત-અભ્યાસ માટે લખવામાં આવે છે. ૨ કૂન્ય જનની પૂજા-ભકિત, દયા, દાન, તીર્થયાત્રા, જપ, તપ, રાન-અભ્યાસ અને પરોપકાર એ મનુષ્યજન્મ પામ્યાનાં આઠ ફળ છે. ૩ ઉત્તમ-રગતિ, શાસ્ત્ર-પ્રીતિ શુભ ધ્યાન–ચિના, સંતોષવૃત્તિ, દાન– શક્તિ. અને ગુરૂ-ભક્તિ એ જ સુકૃતના ભંડાર છે. - ૪ દેવપૂજા, સુગુરૂ સેવા, જ્ઞાન-ધ્યાન, સંયમ, તપ અને દાન એ ષટકર્મ ગૃહસ્થજનોએ દિને દિને આચરવાનાં છે. એ વગર ગયેલો દિવસ અફળ લેખો ચોગ્ય છે. ૫ જનપૂજા, વિવેક, સત્ય, પ્રમાણિકતા અને સુપાત્રદાન એ બધે શ્રાવકપણાનો બહ શેકશી શણગાર છે. ચોથી જ શ્રાવકધર્મ શેલી નીકળે છે–દીપે છે. વીતરાગ-સર્વિસની સેવા, સર્વજ્ઞકથિત સિદ્ધાન્ત અભ્યાસવા પરિશ્રમ, અને સંત-સાધુજનોનો આદર-સત્કાર એ જીવિતવ્યના ફળરૂપ છે. એવાં સત્કર્મથી જીવન સફળ સાર્થક થઈ શકે છે. ૭ સુપાત્રે દાન, નિર્મળ શિયળ, વિચિત્ર તપ, અને શુભ ભાવના, એ ચાર પ્રકારનો ધર્મ સંસાર સમુદ્રથી પાર ઉતારવા પ્રવહણે તુલ્ય છે એમ મુનિએ વખાણે છે. ૮ ઉત્તમ જને શ્રી જિનશ્વરને નમન કરી નિજ મસ્તકને પવિત્ર કરે છે, સવિવેક ધારી હદયને પવિત્ર કરે છે. સુગુરૂને ઉપદેશ સાંભળી ને પવિત્ર કરે છે, અને દાન આપી હસ્તને પવિત્ર કરે છે. - ૯ ગટ પ્રભાવી જૈનધમ, સાધુસંગતિ, વિદ્વાનની ગોષ્ટી, વચનચાતુરી, સકિયામાં કુશળતા, ન્યાયલમી, સદગુરૂની ચરણ સેવા, શુદ્ધ શિયલ અને પવિત્ર મત એ સઘળાં ભાગ્યશાળીઓને જ પ્રાપ્ત થાય છે. ૧૦ જિનમંદિર, જિનપ્રતિમા, જિના , અને જિન ધર્મની સેવા જે કરે છે, તેને નર, દેવ, અને મોક્ષનાં સુખ સહેજે મળે છે. ( ૧૧ હિતાહિ તત્ત્વને વિચાર કરવા એ બુદ્ધિનું ફળ છે. હિત આચરણ કરવું અને ઉત્તમ વ્રત નિયમ પાળવા એ દેહ પાયાનો સાર છે. સુપાત્ર દાન દેવું તે લમી પામ્યાનું ફળ છે અને પ્રતિકારી વચન બોલવાં એ વાચા-જીભ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32