________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ.
--
-
-------
-
-
*
કે
હાલ કેશર બહુ ખેંઘા ભાવનું આવતું હોવાથી લાલચનો ઘણે સંભવ છે; માટે કોઈ પણ સંસ્થાએ ખાસ સૂરજ છાપનું ચાખું કેશર મંગાવીને આપવા તૈયાર થવું જોઈએ. તે સિવાય વાપરવું શરૂ કરી દેવાથી ગામડાવાળાઓ અને બીજા શહેરવાળાએ પણ જેવું તેવું કેશર વાપરવા મંડી પડશે એ અમને ઇષ્ટ નથી. જેને જીવહિંસામાં પાપ નથી, અને જે માંસાહારી છે, તેઓ કોઈ પણ વસ્તુનો વર્ણ ગંધ રસ કે રપ મને રંજક કરવા માટે શું પાપ ન કરે તે કહી શકાય તેમ નથી. તેથી એ પ્રજાને કોઈને વિશ્વાસ આવે તેમ નથી. બાકી કોઈ, કેશરથી પૂજા કરે કે કરતા હોય અથવા કરેલી હોય તો તેના પ્રત્યે તિરસ્કાર ધરાવે તે યોગ્ય નથી. પોતે વાપરવું કે નહીં એ જુદી વાત છે પણ સત્ય વાત સમજવી, સ્વીકારવી અને કરવી એ સુજ્ઞ જનનું કામ છે એમ અમારી માન્યતા છે.
ભાદ્રપદના અંકમાં આપેલા પ્રશ્નોત્તર સંબંધે
વિશેષ સ્પષ્ટીકરણ.
વડેદરાથી વકીલ નંદલાલ લલ્લુભાઈ જણાવે છે કે–આવા પ્રશ્નોત્તર બહુ ઉપયોગી છે; પરંતુ તેમાંના કેટલાક પ્રશ્નના ઉત્તરોમાં વિશેષ પષ્ટીકરણની આવશ્યકતા છે. તેને અંગે તેઓ નીચે પ્રમાણે જણાવે છે.
પ્રશ્ન ૧૪ મે ગર્ભાપહારી હકીકત બ્રાહ્મણને હલકા પાડવા માટે જોડી કાઢલી તે નથી? એવી મતલબનો છે. એના ઉત્તરમાં વિશેષમાં એ જણાવવાનું છે કે-મહાવીર પ્રભુના ચરિત્રમાં બ્રાહ્મણો સાથે તો બહુજ સંબંધ છે. પ્રથમ માતાપિતા પ્રાણ છે અને અગ્યાર ગણધરે પણ બ્રાહ્મણ છે. વળી પ્રભુના માતાપિતા પ્રથમની ૮૨ રાત્રીના બ્રાહ્મણ છે. એ હકીકત વિર પરમાત્મા પોતેજ કેવળજ્ઞાન પામ્યા પછી કહેલી છે અને તે હકીકત ગણધરમહારાજાએ શ્રી આચારાંગસૂત્રમાં ગુંથેલી છે. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રમાં પણ દશમા પર્વમાં વીર પ્રભુના કેવળજ્ઞાન પામ્યા પછી પ્રભુ વિહાર કરતાં કરતાં બ્રાહ્મણકુંડ ગામે પધાર્યા છે, દેવોએ સમવસરણ કર્યું છે, દેવાનંદા અને ત્રીષભદર વાંદવા આવ્યા છે, પ્રભુને જતાં દેવાનંદાને પુત્રવત્ પ્રેમ ઉપજ થયો છે, શરીર વિકસ્વર થયું છે, અને સ્તનમાંથી દુધ ઝર્યું છે, તે વખતે બાતમ સ્વામીએ પ્રશ્ન કરતાં પ્રભુએ ઉત્તરમાં પિત દેવાદાના ગર્ભમાં ર રાવી રહેલા છે એ વાત પ્રગટ કરી છે. દેવાનંદ અને ઋષભદત્ત પ્રભુના ઉપદેશથી ધરાગ્ય પામી શ્રી લીધી છે અને તે કેવળન પામીને મિણે ગયા છે. આ પ્રમાણે બધી હકીકત આપી છે.
For Private And Personal Use Only