Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ. કહ્યું કે જેનધર્મ મળે જ ઘન્યથી નવદિક્ષિત સાધુની પરીક્ષા કરવી અને તારા શીવ ધર્મમાં જે પ્રાચીન અને દઢ ધર્મી તા પર હોય તેની પરીક્ષા કરવી. એ અવસરે મિથિલા નગરીના રાજ પદ્મર તાની રાજ્યથી ત્યાગીને શ્રી વાસુપુજ્ય તીર્થંકરની પાસે દિક્ષા લીધી હતી તેની પરીક્ષા કરવાનો નિશ્ચય કર્યા અને મનુષ્ય વેશ ધારણ કરી મિષ્ટ ભજન તથા અનેક પ્રકારના સુગંધી જળ લઇને તે મુનિ પાસે ગયા અને કહેવા લાગ્યા કે હે મુનિ! આ રસવતી ભિક્ષા અને શીતળ પાણી વિગેરે આપ ગહણ કરો. તે વખતે મુનિ સુધા તથા તુષાથી અત્યંત પીડિત છતાં તે અને ઘણીય ભજન અને જળાદિ ગ્રહણ કરી ને હુલા, ઈતિ પ્રથમ પરીક્ષા. પશ્ચાત જયારે મુનિ તે નગરથી બીજે થળે જવા લાગ્યા ત્યારે તે બન્ને દેવતાઓએ આગળ જઈ બે પ્રકારના રર તા બનાવ્યા. એક રરતે કાંટા અને કાંકરા વિફર્યા અને બીજે રાતે પાણી, વિનરપતિ તથા દેડકા પ્રમુખ જીવ વિકુળં. તે જોઇ મહા દયાળુ અને ભવ ભાંતિએ કરી પરિકલે શિત', જંતુઓના વિશ્રામને અર્થ વૃક્ષ તુલ્ય, અને આપત્તિરૂપ મહા નદીને પાર ઉતારવાને જેમની દકી કારૂપ છે એવા તે મુનિ, સર્વ પ્રાણીમાત્રને વિષે જે દયા છે તે ધર્મના રિલક સરખી ભૂષણરૂપ છે, અને તે સર્વ રોગ અને સર્વ અનર્થને નાશ કરનાર છે, અને દયા એજ સંપત્તિ અને કલ્યાણનું કારણ છે, એમ વિચારીને જીવહિંસાના ભયથી દેડકા પ્રમુખ જીવોએ સંયુક્ત માર્ગ ત્યાગીને કાંકરા કાંટા અને ટીંબા ટેકરાવાળા માગે ગમન કરવા લાગ્યા. ફરતે ચાલતાં તે સાધુના પગમાંથી રૂધિરની ધારાઓ વહેવા લાગી તો પણ તે મુનિનું મન જેમ કલ્પાંતકાળના પવનથી મેરૂ પર્વત ચલિત થતું નથી તેમ નિશ્ચળ રહેતું હવું. આ પ્રમાણે તે દેતાઓ સાધુના મન પરિણામ અચળ રેલીને સાનંદાશ્ચર્ય પામ્યા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25