Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 103
________________ ઘડાય છે. તે છતાં પીડા ટાળી શકાતી નથી. ત્યારે પીડા ટાળવાની પોતાની ઇચ્છા કચડાતી દેખાવાથી એનો અહંકાર પણ ઘવાય છે. પોતાની જાત લાચાર અનુભવાય છે. આ બધા પરિબળો પણ એની એ જ પીડાને અત્યંત અસહ્ય હોવી પ્રતીતિ કરાવે છે. પોતાનું કામ પણ ટાળવા મથતી જેઠાણીને દેરાણીનું કામ પણ કરવાની ફરજ પડાય તો એ કેવી અસહ્ય લાગે છે? અસહ્ય પીડા વેઠવાની નોબત આવે એટલે અસ્વસ્થતા-અકળામણ અનુભવાય જ. પોતાની હેરાનગતિના મૂળ તરીકે બીજાને જોનારને એ બીજો “શત્રુ” તરીકે જ ભાસવાનો. શત્રુ તરફથી આવતી પીડાને વેઠવા તો કોણ તૈયાર થાય? ને છતાં એ વેઠવી પડે છે, એટલે જીવ આકુલ-વ્યાકુળ થઈ જાય છે. વળી એ બીજા પ્રત્યે શત્રુતા – બદલો લેવાની વૃત્તિ વગેરેની તીવ્ર તાલાવેલી છે. ને તેથી જ્યાં સુધી બદલો લેવાતો નથી ત્યાં સુધી મનને ચેન ન પડવાથી પણ મન અશાંત-અશાંત રહ્યા કરે છે. વળી, પોતાની ભૂલ તો ભૂતકાળ બની ગઈ છે. હવે એમાં ઘટાડો શક્ય નથી. ને તેથી એની સજારૂપે જેટલું પણ ભોગવવાનું આવે એને ઘટાડવાનું પોતાના હાથમાં નથી એવો માનસિક સ્વીકાર હોવાથી પણ એને વેઠી લેવાની માનસિક તૈયારી ઘડાય છે. પણ જે પોતાની હેરાનગતિના મૂળ તરીકે બીજાને જુએ છે, એને તો એ બીજાની વિચિત્ર શબ્દો-વિચિત્ર વર્તન વગેરે રૂપ વર્તમાન કારવાહી જ પોતાના દુઃખનું મૂળ ભાસે છે. ને તેથી એ કરવાહી અટકે-ઘટે તો પોતાનું દુઃખ અટકે-ઘટે એવી શક્યતા જણાવાથી એ કારવાહી અટકાવવા ઘટાડવાની ઈચ્છા જાગે છે ને એ માટેના પ્રયત્ન પણ ચાલુ થાય છે. ને છતાં સામી વ્યક્તિ પોતાની કારવાહી બંધ કરતી નથી ને પોતાનું દુઃખ અટકતું નથી. આ પરિસ્થિતિ અસહ્ય લાગે છે. સામી વ્યક્તિ વધારે દુષ્ટ લાગે છે. પોતાનો અહંકાર છંછેડાય છે. દુઃખ ઘટાડવાનું જ લક્ષ્ય-માનસિક વલણ હોવાથી, એ ઘટવાના બદલે જેમજેમ લંબાતું જાય છે તેમ તેમ એ વધુ ને વધુ અસહ્ય લાગતું જાય છે. આ બધા કારણે પણ મન ક્ષુબ્ધ રહે છે. સીતાજી તો સ્વકર્મોનો જ દોષ જોનારા હતા. એટલે એકદમ શાંત ને સ્વસ્થ હતા. રામચન્દ્રજી પ્રત્યે પણ કોઈ રોષ કે રીસ હતા નહીં.(સ્વકર્મદોષ જોવાનો આ વર્તમાન લાભ પણ શું ઓછો ભવ્ય છે કે જેથી એના ભોગે આપણે અન્યને દોષિત જોવાની મૂર્ખતા કરીએ?) ખૂબ જ ભવ્ય સંદેશ રામચન્દ્રજીને પાઠવે છે- “સ્વામિનાથ લોકોની વાત સાંભળીને મારો ત્યાગ કરો છો, વાંધો નહીં. આપને સવાયી સીતા મળી શકશે, ને આપનો મોક્ષ કાંઈ અટકવાનો ( જેલર) Jain Education International For Personal & Private Use Only Whemendary.org

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124