Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 109
________________ કહે છે. નમાવેvયા પુિિરયાત જમાવવુદ્ધિી ક્રિયા જે ભાવથી કરાય છે તે ભાવોને વધારનારી બને છે. વારંવાર દીકરા પ્રત્યે પણ પક્ષપાત દાખવવાની ક્રિયાથી માના દિલમાં મોટા દીકરા પ્રત્યે પણ એક અણગમો તિરસ્કારભાવ પેદા થઈ ગયેલો હતો. અને તેથી મોટા દીકરાએ જુદા પડવાની કરેલી વાતને માએ વધાવી લીધી. મોટી વહૂની ઘણી અનિચ્છા, છતાં ઘરમાં પાર્ટીશન થયું ને મા નાના દીકરા-વહૂ સાથે રહેવા લાગી. - પહેલે જ દિવસે જમ્યા પછી નાની વહુ તો સૂઈ ગઈ. માએ કહ્યું: બેટા! પછી સૂજો. આ વાસણ માંજી નાખો.' “મા! એ મને ન ફાવે . હું તો આ સૂતી.” આજ સુધી આવાં કામો મોટીવહુ કરી લેતી હતી. આજે માએ કરવા પડ્યા. ચારેક વાગ્યે વહુ ઊઠી, તૈયાર થઈને બહાર નીકળી. બેટા! ક્યાં જાવ છો?” બહેનપણીને ત્યાં.'. પણ રસોઈ?' જુઓ ! હું તો એને ત્યાં જ જમવાની છું. એમને બેંકમાં કોઈ પાર્ટી છે. “પણ હું?” “ ખાખરા પડ્યા છે, ચા બનાવીને ખાઈ લેજો.' બીજે દિવસે સવારે. બેટા! આ કપડાં ધોવાના પડ્યા છે.' “જુઓ બા! આવા બધાં કામો માટે હું ટેવાયેલી નથી. આપણે એક નોકર રાખી લઈએ તો?' બેટા! આપણી કાંઈ એવી કમાણી છે નહીં. ટૂંકા પગારમાંથી બધું કેમ નભાવાય ?” “પણ બા! હું દોઢલાખ લાવેલી છું ને. એમાંથી પગાર આપીશું. નાની વહુ ભક્તિ-પ્રેમ-કામગરાપણું જાણતી નથી. એ તો પોતાના શ્રીમંત પીયરની જેમ જ અહીં રહેવા માંગે છે. મા ચિંતામાં પડી. આ રીતે તો દોઢલાખની ચટણી થઈ જતાં શું વાર? ચિંતામાં ને ચિંતામાં મા બિમાર રહેવા લાગી. દીકરો દવા તો બરાબર કરાવે છે. પણ વહુ આવું બધું શીખી નથી કે એકલી દવાથી બિમારી ન જાય. “બેટા! ચારવાર દવા લેવાની છે. સમય થાય એટલે આપતા રહેજો.' બા! આ ટેબલ પર મૂકી રાખું છું. સમયે સમયે લઈ લેજો.' દવાનો Jain Education International જેલર wwbejammemoraly.org For Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124