________________
હજાર રૂપિયા પણ જોયેલા નહીં. ને “એક સાથે લાખ રૂપિયા આવશે? આ કલ્પના જ એટલી બધી સુખદ હતી કે મા વારંવાર સોનેરી સ્વપ્ન સૃષ્ટિમાં સરી પડતી.
પણ સ્વ. પૂજ્યપાદ ગુરુદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. જે શબ્દોમાં સંસારને વર્ણવતા એ “ધારેલું ન થાય અને નહીં ધારેલું ઘણું ઘણું થાય એનું નામ સંસાર..” આ શબ્દો સાક્ષાત્ થયા. લગ્ન પૂર્વે જ કન્યાના પિતાને ત્યાં રેડ પડી. ધંધામાં પણ ખોટ આવી. મૂડી જાણે કે તળિયાઝાટક જેવી થઈ ગઈ. નિશ્ચિત મુહૂર્ત દીકરીના લગ્ન તો કરાવ્યા, પણ દહેજ આપી ન શક્યા. માના બધા જ સ્વપ્ન ચૂર ચૂર થઈ ગયા. બંધાયેલી અપેક્ષા તૂટી ગઈ. '
પણ બીજું તો કાંઈ થઈ શકે એમ ન હોતું. વહુનો ઘરમાં તો પ્રવેશ થયો. પણ માના દિલમાં પ્રવેશ ન થયો. ત્યાં તો વહુ પ્રત્યે અણગમો - એક છૂપો તિરસ્કાર પ્રવેશી ગયો. અલબત્ વહુ ખૂબ સંસ્કારી છે, શાંત છે, સુશીલ છે. સાસુને દિલથી ચાહે છે ને સગી દીકરી કરતાં વધારે સેવા કરે છે. ઘરકામમાં પણ હોંશિલી છે. કુશળ છે. કોઈપણ વ્યક્તિના દિલને જીતવા માટેની ઢગલાબંધ યોગ્યતાઓ હોવા છતાં એ વહુ માનું દિલ જીતી ન શકી, કારણકે માને આ સંસ્કારિતા વગેરે કાંઈ દેખાતું નથી. સારા દહેજની તૂટી ગયેલી સ્વ-અપેક્ષા જ દેખાયા કરે છે. માટે જ્ઞાની પુરુષો આપણને કહે છે. કોઈ અપેક્ષા રાખો નહીં, કારણકે એકાદ અપેક્ષા પણ તૂટશે તો અન્ય અનેક બાબતોનું સારાપણું નજરમાં નહીં આવે. અને તેથી એ સારાપણાંનો ન કોઈ આનંદ અનુભવી શકાશે કે ન એ સારું કરનાર વ્યક્તિ પ્રત્યે પ્રીતિ નિર્માણ થઈ શકશે .
થોડા વખત બાદ નાના પુત્રના સગપણ - લગ્ન કર્યા. એની વહુ દહેજમાં દોઢલાખ રૂપિયા લાવી. માની અપેક્ષા પૂરી થઈ. ને એટલા માત્રથી એ માને વહાલી થઈ ગઈ. પરિણામ? મા તરફથી પક્ષપાતભર્યો વ્યવહાર ચાલુ થયો. સવારથી સાંજ સુધી ઘરનું વેતરું મોટી વહુએ કરવાનું. એ જરા આડી પડે તો “અલી! કેમ સૂતી છો? આ વાસણ માંજી કાઢ.' એની સખીઓ આવી હોય, હજુ પાંચેક મિનીટ પણ માંડ થઈ હોય, ને સખીઓની હાજરીમાં જ હડહડતું અપમાન થઈ જાય એવા કડવા વેણ નીકળતાં – “હવે બહેનપણીઓને વિદાય કરો. એમને કશું કામ લાગતું નથી તે હાલી નીકળે છે. ગપ્પાં જ માર્યા કરશો તો રસોઈ કોણ કરશે?”
અને નાની વહુ! એ તો દોઢલાખ લઈને આવી છે ને ! માએ એને
૯૮
Jain Education International
જેલર |
elbrary.org
For Personal & Private Use Only