________________
જ્ઞાનમંજરી
લોકસંજ્ઞાત્યાગાષ્ટક - ૨૩
૬૫૧
સાધનારા અર્થાત્ તે સુખની પાછળ ઘેલા બનેલા જીવો ઘણા હોય છે, પરંતુ પોતાના આત્માના ગુણોનું સુખ સાધનારા એટલે કે ગુણો ઉપરનાં આવરણો દૂર કરીને નિરાવરણત્વ પ્રાપ્ત કરનારા જીવો સદા અલ્પ જ હોય છે.
लोकसञ्ज्ञाहता हन्त ! नीचैर्गमनदर्शनैः । शंसयन्ति स्वसत्त्याग- मर्मघातमहाव्यथाम् ॥६॥
ગાથાર્થ :– અફસોસની વાત છે કે લોકસંજ્ઞાથી હણાયેલા લોકો લોકપ્રશંસા પ્રાપ્ત કરવા માટે “ધીમું ચાલવું, નીચે જોઈને ચાલવું, ધીરે ધીરે ચાલવું” ઈત્યાદિ કાર્યને કરતા છતા પોતે પોતાના ગુણો પ્રાપ્ત કરવાનો સાચો માર્ગ જાણે ત્યજી દીધો છે તેની મર્મઘાતક પીડા જ થઈ હોય શું ? તેમ સૂચવે છે. IIII
ટીકા :- ‘“તોપતિ'' દન્ત કૃતિ ઘેવે । સ્રોતન્ના હતા-તોપનાવ્યાના: नीचैर्गमनदर्शनै:-वक्रीभूतशरीर - भून्यस्तदृष्टयः गमनस्य दर्शनैः । स्वसत्त्यागमर्मघातमहाव्यथां-स्वीयो यः सत्त्याग:- जैनवृत्तित्यागः, स च लोकरञ्जनाध्यवसायबहु मर्मणि घातं लभते । तस्य घातस्य महाव्यथां - महापीडां शंसयन्ति - ज्ञापयन्ति । "वयं पीडिता: " तेन वक्रशरीरा भ्रमामः इति शंसयन्ति - कथयन्ति वेति उत्प्रेक्षा । लोकोक्तिभीतित्यागवन्तो जीवा आत्मस्वरूपघातका इति ॥६॥
વિવેચન :- મૂલગાથામાં લખેલો ‘“હન્ત’’ શબ્દ ખેદ અર્થમાં છે. લોકસંજ્ઞાથી દબાયેલા એટલે કે લોકો રાજી કેમ રહે ? એમ લોકોને સારું દેખાડવાની ભાવનાવાળા અને આવી ભાવનાથી જ મનમાં આકુલ-વ્યાકુલ થયેલા, તથા લોકોની પ્રીતિ, યશ અને માનાદિ મેળવવા માટે જ “નીચે જોતાં જોતાં હુબા થઈને ચાલવું, ધીમે ધીમે ચાલવું, શરીર વક્રીભૂત થયું છે જેમાં એવી રીતે ચાલવું, ભૂમિ ઉપર જ સ્થાપિત દૃષ્ટિવાળા થઈને ચાલવું” ઈત્યાદિ જે પ્રક્રિયા લોકસંજ્ઞારૂઢ જીવોમાં દેખાય છે. તે અંતર-ચિત્ત મલીન હોવાથી કવિરાજ તેની ઉત્પ્રેક્ષા કરે છે કે આવા જીવોએ પોતાનો-જૈનાચારનું પાલન કરવા રૂપ જે સાચો આત્મધર્મસદાચાર હતો, તેનો જનરંજનના અધ્યવસાયોની બહુલતા વડે ત્યાગ કર્યો છે, તેના કારણે મર્મસ્થાનોમાં ઘા પડ્યો હોય, મર્મસ્થાનો વિંધાયાં હોય તેમ મર્મસ્થાનના ઘાની પીડા વ્યક્ત કરે છે. જાણે મર્મસ્થાનમાં કોઈએ ઘા માર્યો હોય અને તેનાથી ઢુબા થઈ ગયા હોય તેમ આ જીવોએ પોતાના સદાચારનો (શુદ્ધ અધ્યવસાયપૂર્વકની સક્રિયાનો) જે ત્યાગ કર્યો છે. તેના જ ઘા પડ્યા હોય અને તે ઘાની પીડા જ જાણે અનુભવતા હોય એમ લાગે છે.