Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 242
________________ ૮૩૪ સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨ જ્ઞાનસાર પાંચમા અંગરૂપ ભગવતીજી સૂત્રમાં મંડુકશ્રાવકના અધિકારથી જાણી લેવો. અન્યશાસ્ત્રોમાં પણ આ વિષયમાં આ જ પ્રમાણે કહ્યું છે તે સાક્ષીપાઠો આ પ્રમાણે છે - सुत्तत्थो खलु पढमो, बीओ निज्जुत्तिमीसिओ भणिओ । तइओ य निरवसेसो, एस विही होइ अणुओगे ॥४॥ (આવશ્યકનિયુક્તિ ગાથા-૨૪) अनुयोगशून्यं वचनं न प्रमाणं भवति । उक्तञ्च - अपरिच्छियसुअणिहसस्स, केवलमभिण्णसुत्तचारिस्स । सव्वुज्जमेण वि कयं, अण्णाणतवे बहुं पडइ ॥४१५॥ (ઉપદેશમાલા ગાથા ૪૧૫) પુનઃ માત્રાર્થે: (મિકાવાર્થે:) - तत्रापि न च द्वेषः, कार्यो विषयस्तु यत्नतो मृग्यः । तस्यापि न सद्वचनम्, सर्वं च यत्प्रवचनादन्यत् ॥१६-३॥ (ષોડશBRUT ૨૬-૩) इति विचार्य स्याद्वादोपयोगेन सर्वनयज्ञता कार्या । पुनः साम्यमवलम्बनीयं पक्षपरिहारेण आत्मधर्मनिष्ठता हिता । ॥३॥ જ્યારે જ્યારે સૂત્ર સંબંધી અનુયોગ-વ્યાખ્યાન કરવાનું હોય, સૂત્રોના અર્થો સમજાવવાના હોય ત્યારે ત્યારે (૧) સૂત્રનો માત્ર અર્થ જ સમજાવાય આ પ્રથમવિધિ, (૨) ત્યારબાદ સૂત્રની સાથે સ્પર્શવાળી નિયુક્તિથી મિશ્રિત અર્થ કહેવાય, આ બીજી વિધિ, અને (૩) ત્યારબાદ પ્રાસંગિક-અપ્રાસંગિક એવા ઘણા વિવેચનવાળો સઘળો અર્થ કહેવાય આ ત્રીજી વિધિ. આમ સૂત્રનો અર્થ સમજાવવાની અનુયોગની બાબતમાં ત્રણ પ્રકારની વિધિ શ્રી તીર્થકરગણધર ભગવંતોએ કહેલી છે. (આવશ્યકનિયુક્તિ ગાથા-૨૪) અભ્યાસ કરનારા શિષ્યવર્ગની મતિનો વ્યામોહ ન થાય, એટલે કે ભણનારા શિષ્યોની મતિ મુંઝાય નહીં એટલા માટે સૂત્રોના અર્થોની વાચના આપતાં પ્રથમ સૂત્ર સંબંધી જ માત્ર અર્થ સમજાવવો જોઈએ, સૂત્ર સંબંધી પ્રાથમિક અર્થ સમજાવ્યા પછી સૂત્રોમાં આવતા શબ્દો અને પદોનો વ્યુત્પત્તિસિદ્ધ અર્થ તથા નિયુક્તિથી થતો જે અર્થ હોય તેનો અનુયોગ-વ્યાખ્યાન કરે. આ અર્થ આપવાની બીજી વિધિ જાણવી. ત્યારબાદ શિષ્યોની બુદ્ધિ વિશાળ બનતાં તે

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301