Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 210
________________ ૮૦૨ તપોષ્ટક - ૩૧ જ્ઞાનસાર છે અને તે અભ્યત્તરતા જ ઈષ્ટ છે. તથા ઉપવાસાદિ જે બાહ્ય તપ છે તે અભ્યત્તરતપની વૃદ્ધિ-પુષ્ટિ કરનારો છે (તેથી તે તપ પણ) ઈષ્ટ છે. !!! ટીકા - “જ્ઞાનમેવ વધા: પ્રતિ"-વધા: પતા:, શર્મા–માત્મપ્રવેશसंश्लिष्टानाम्, तापनात् तीक्ष्णं ज्ञानमेव तपः प्राहुः । तत्तपः आभ्यन्तरमन्तरङ्गं प्रायश्चित्तादिकमिष्टम्, बाह्यमनशनादिकम्-तदुपबृंहकमाभ्यन्तरतपोवृद्धिहेतुः । द्रव्यनिक्षेपस्य कारणरूपत्वात्, द्रव्यतपसोऽपि भावतपसः कारणत्वमेव, तेन इष्टम् III. વિવેચન :- પંડિત પુરુષો જ્ઞાનને જ તપ કહે છે. કારણ કે જ્ઞાનદશા જ આ જીવના પૂર્વકૃત કર્મોને તપાવે છે, બાળે છે. પૂર્વકાલમાં કરેલાં કર્મોને જે તપાવે તે તપ કહેવાય છે અને જ્ઞાન જ કર્મોને તપાવે છે. માટે જ્ઞાનને પંડિતપુરુષો તપ કહે છે. જ્ઞાનાવરણીય આદિ કર્મો આત્માના પ્રદેશોની સાથે એકમેક થયેલાં છે. પ્રદેશ પ્રદેશ અનંતા અનંતા કર્મપ્રદેશો તન્મયપણાને પામેલા છે. તેને તપાવવાનું કામ-બાળવાનું કામ તીણ એવું જ્ઞાન જ કરી શકે છે. શાસ્ત્રોનું ઊંડું એવું અધ્યયન જ કર્મોને બાળી શકે છે. માટે જ્ઞાન એ જ તપ છે. આ જ્ઞાનદશાને જે તપ કહેવાય છે તે અભ્યન્તરતપ જાણવો. પ્રાયશ્ચિત્ત આદિ છ પ્રકારનો જે તપ છે તેમાં (સ્વાધ્યાય એટલે) જ્ઞાન એ પણ તપ કહેલ છે. આ વાત તેની અંદર સમજવી. પ્રાયશ્ચિત્ત-વિનય-વૈયાવચ્ચ-સ્વાધ્યાય-ધ્યાન અને વ્યુત્સર્ગ એમ છ પ્રકારના અભ્યત્તર તપની અંદર જ્ઞાનરૂપ તપ જાણવો. ઉપવાસ-એકાશનાદિ અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા રૂપ જે છ પ્રકારનો બાહ્ય તપ છે તે જો અભ્યત્તર તપની વૃદ્ધિનો હેતુ હોય તો તે પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને તપ કહેવાય છે. કારણ કે ઉપવાસાદિમય અનશન વગેરે છ પ્રકારનો જે દ્રવ્યતા (બાહ્યતપ) છે તે ભાવતપનું કારણ છે. સર્વ ઠેકાણે દ્રવ્યનિક્ષેપો ભાવનિક્ષેપાનું કારણ હોય છે અને ભાવનિક્ષેપાનું જો કારણ બનતું હોય તો જ દ્રવ્યનિક્ષેપાને દ્રવ્યનિક્ષેપો કહેવાય છે. તેથી ઉપવાસાદિ દ્રવ્યતપ (બાહ્યતપ) તેવો કરવો જોઈએ કે જે તપ કરવાથી સ્વાધ્યાય, વૈયાવચ્ચ, ધ્યાન વગેરે ભાવતપની (અભ્યતર તપની) વૃદ્ધિ થાય. તેટલી અને તેવી માત્રાએ જ બાહ્યતાને કરવો જોઈએ કે જેનાથી ભાવતપની વૃદ્ધિ થાય, ઉત્તમ આત્માઓએ આ ગાથાના ભાવાર્થને હૃદયથી બરાબર સમજીને યથાશક્તિ બાહ્યતામાં પણ અવશ્ય જોડાવું. છતાં અધિક બાહ્ય તપ કરવાથી ભાવતપ સીદાય - પીડાય હાનિ પામે આવો બાહ્ય તપ માર્ગ ઉચિત નથી. એમ પણ ધ્યાનમાં રાખવું. /૧/

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301