________________
સમાધિશતક-વિવેચન
૨૫૧
પંચાતમાં નહીં પડતાં, ધર્મની વાસનાએ કાઢી નાખી. કેાઈ ધર્મ માટે ન્યૂનાધિક કે શ્રદ્ધા-ભાવપણું રહ્યું નહીં. થેાડા વખત ગયા પછી એમાંથી એર જ થયું. જે થવાનું મેં કપ્યું નહાતું, તેમ તે માટે મારા ખ્યાલમાં હાય એવું કંઈ મારું પ્રયત્ન પણ નહેતું, છતાં અચાનક ફેરફાર થયા; કાઈ આર અનુભવ થયા, અને જે અનુભવ પ્રાથે શાસ્ત્રમાં લેખિત ન હેાય, જડવાદીઓની કલ્પનામાં પણ નથી, તેવે હતા. તે ક્રમે કરીને વધ્યા; વધીને અત્યારે એક ‘તુિ તુહિ’ના જાપ કરે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર
“જહાં કલપના——જલપના, તહાં માનું દુ:ખ છાંઈ; મિટે ક્લપના–જલપના, તબ વસ્તુ તિન પાઈ.” —શ્રીમદ્ રાજચંદ્ર આત્માની ચપળતા ટળી, સ્વસ્થતા પ્રગટે એ જ આત્માનું સહજ સ્વરૂપ છે. કલ્પનાજ૫ના ટળતાં શેષ સ્વરૂપ રહે છે તે જ પેાતાનું પરમપદ છે એમ ગ્રંથકાર કહે છે. એ પરમપદની પ્રાપ્તિના ક્રમ ગ્રંથકાર હવે જણાવે છે :अव्रती व्रतमादाय व्रती ज्ञानपरायणः । परात्मज्ञानसंपन्नः स्वयमेव परो भवेत् ॥ ८६ ॥ અ-વતી વ્રત ધારીને, જ્ઞાનાભ્યાસી વ્રતી રહે; કેવલજ્ઞાનથી પાત પરમાત્મદશા ગ્રહે. ૮૬
ભાવાર્થ :
— ગાથા ૮૪ મીમાં વ્રત ત્યાગના ક્રમ જણાવ્યો છે, તે જ ક્રમ પરમપદની પ્રાપ્તિના છે; પરંતુ ત્યાં વિકલ્પ–ત્યાગના મુખ્ય લક્ષ છે. અહીં પરમપદ પ્રાપ્તિના લક્ષ છે. પરમપદ સુખ-સ્વરૂપ છે એમ જ્યારથી જીવથી મનાય છે, ત્યારથી જ તે પરમપદના ક્રમમાં રુચિવંત થાય
Jain Education International
-:
For Private & Personal Use Only
www.jainelibrary.org