Book Title: Granthyugal
Author(s): Bramhachari
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 320
________________ સમાધિશતક-વિવેચન ૨૯૧ ભાવાર્થ – શ્રી સમાધિશતક ગ્રંથને ઉપસંહાર કરતાં જ્ઞાની ગ્રંથકાર મહાત્મા પરમપદની પ્રાપ્તિ-અપ્રાપ્તિનું કારણ દર્શાવે છે. બ્રાંતિ અથવા વિપરીત બુદ્ધિ એ સંસાર-પરિભ્રમણનું કારણ છે એ આ ગ્રંથમાં વારંવાર દર્શાવ્યું છે, છતાં કરુણાળુ વિદ્વાન ગ્રંથકાર ફરી પણ, સંસારમાં અમે સુખી છીએ એમ ભૂલભરી માન્યતાવાળાઓની મશ્કરી કરતા હોય તેમ તે બુદ્ધિ ત્યાગવાની મર્મમાં ટકેર કરે છે. વાયુથી પ્રવર્તતા શરીર-અવયની ક્રિયાને તથા ઇઢિયેની પ્રવૃત્તિને આત્મામાં આરોપ કરનાર જડ (વિવેકહીન) જીવ સુખે સંસારમાં રહે છે. મહાત્મા શ્રી કબીરજીએ પણ ગાયું છે : “સુખિયા સબ સંસાર, ખાવે ઔર સવે; દુખિયા દાસ કબીર, જાગે ઔર રોવે.” શિયાળાની કડકડતી ઠંડીમાં ટૂંટિયાં વાળી ટાઢથી બચવા ઓઢીને સૂવા છતાં ઠરી જતા માણસનું ઘર લાગે ત્યારે કંઈ ગરમ પવન આવવાથી આરામ લાગે અને સુખે સૂઈ રહે, તેમ પરની કિયાને આત્મામાં આરોપી સુખે બેસી રહેનાર જીવને સંસાર-વૃદ્ધિ થાય છે તેને ભય નથી તે માત્ર મૂઢતા છે. ઉપહાસમાં તેને સુખી કહ્યો છે. પરંતુ વિદ્વાન એટલે ભેદજ્ઞાની જીવ તે આરોપને સંસારનું કારણ જાણી, ભવ-ભીરુ બની, જ્ઞાનાદિ આત્માની કિયાને જ આત્મભાવ માને છે અને દેહાદિ જડની પ્રવૃત્તિને પરભાવ જાણું તેથી રહિત થાય છે. તેથી તે બ્રાંતિ અથવા આપને તજી પરમપદને પામે છે, મુક્ત થાય છે. સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે “મુક્ત” છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372