Book Title: Granthyugal
Author(s): Bramhachari
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
સમાધિશતક-વિવેચન
૨૯૫.
( વીડિત ) येनात्मा बहिरन्तरुत्तमभिदा त्रेधा विवृत्योदितो मोक्षोऽनंत चतुष्टयामलवपुः सद्ध्यानतः कीर्तितः । जीयात्सोऽत्र जिनः समस्तविषयः श्रीपूज्यपादोऽमलो भव्यानंदकरः समाधिशतकः श्रीमत्प्रभेन्दुः प्रभुः॥१०६॥
(હરિગીત) અજ્ઞાની, અંતર્યામ, કેવલજ્ઞાન એ ત્રણ ભેદથી, આત્મા “સમાધિશતકમાં ગાયે ઘણા વિસ્તારથી, આનંદદાયી ભવ્ય જીવને પૂજ્યપાદ પવિત્ર તે, જ્યવંત અનંત ચતુષ્ટયી સધ્યાનથી જ જણાય છે. ૧૦૬
ભાવાર્થ-જે પરમપકારી, ભવ્યને આનંદ આપનાર, સમાધિશતક પરિણામરૂપ આત્મપ્રભાના ચંદ્ર (શ્રી પ્રભાચંદ્ર, સંસ્કૃત ટીકાકાર), નિર્મળ, જેમના ચરણ પૂજ્ય છે (શ્રી પૂજ્યપાદ, સમાધિશતકર્તા), જેમણે કર્મશત્રુને જીતેલા છે (જિન), મિક્ષ સ્વરૂપ (જીવન્મુક્ત) જે છે, અનંત ચતુષ્ટય (અનંત જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય) રૂપ નિર્મળ દેહધારી, જેમની સર્વ વિષય-વાસના અસ્ત પામી છે, ઉત્તમ ધ્યાન વડે જેમનું કીર્તન થાય છે, જેમણે આત્માને બહિરાત્મારૂપે, અંતરાત્મારૂપે તથા પરમાત્મારૂપે-એમ ત્રણ ભેદથી વર્ણવ્યો છે તે ભગવાન જયવંત વર્તે !
પિતાની શક્તિ પ્રમાણે શુદ્ધ સ્વરૂપનું, શુદ્ધ સ્વરૂપવંત દેહધારી અરિહંત આદિ જ્ઞાની પુરુષનું, તેમના કહેલા ધર્મનું, શાસ્ત્ર-સિદ્ધાંતનું બહુમાનપણું, કીર્તન, સ્તવન, ભજન, મનન, નિદિધ્યાસન જે જીવે કરશે તે શુદ્ધ સ્વરૂપમય મોક્ષમાર્ગ પ્રત્યે વળશે, મેક્ષમાર્ગ પામશે અને પૂર્ણ પદમાં બિરાજમાન થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372