________________
સમાધિશતક-વિવેચન
૨૯૧ ભાવાર્થ – શ્રી સમાધિશતક ગ્રંથને ઉપસંહાર કરતાં જ્ઞાની ગ્રંથકાર મહાત્મા પરમપદની પ્રાપ્તિ-અપ્રાપ્તિનું કારણ દર્શાવે છે. બ્રાંતિ અથવા વિપરીત બુદ્ધિ એ સંસાર-પરિભ્રમણનું કારણ છે એ આ ગ્રંથમાં વારંવાર દર્શાવ્યું છે, છતાં કરુણાળુ વિદ્વાન ગ્રંથકાર ફરી પણ, સંસારમાં અમે સુખી છીએ એમ ભૂલભરી માન્યતાવાળાઓની મશ્કરી કરતા હોય તેમ તે બુદ્ધિ ત્યાગવાની મર્મમાં ટકેર કરે છે.
વાયુથી પ્રવર્તતા શરીર-અવયની ક્રિયાને તથા ઇઢિયેની પ્રવૃત્તિને આત્મામાં આરોપ કરનાર જડ (વિવેકહીન) જીવ સુખે સંસારમાં રહે છે. મહાત્મા શ્રી કબીરજીએ પણ ગાયું છે :
“સુખિયા સબ સંસાર, ખાવે ઔર સવે;
દુખિયા દાસ કબીર, જાગે ઔર રોવે.” શિયાળાની કડકડતી ઠંડીમાં ટૂંટિયાં વાળી ટાઢથી બચવા ઓઢીને સૂવા છતાં ઠરી જતા માણસનું ઘર લાગે ત્યારે કંઈ ગરમ પવન આવવાથી આરામ લાગે અને સુખે સૂઈ રહે, તેમ પરની કિયાને આત્મામાં આરોપી સુખે બેસી રહેનાર જીવને સંસાર-વૃદ્ધિ થાય છે તેને ભય નથી તે માત્ર મૂઢતા છે. ઉપહાસમાં તેને સુખી કહ્યો છે.
પરંતુ વિદ્વાન એટલે ભેદજ્ઞાની જીવ તે આરોપને સંસારનું કારણ જાણી, ભવ-ભીરુ બની, જ્ઞાનાદિ આત્માની કિયાને જ આત્મભાવ માને છે અને દેહાદિ જડની પ્રવૃત્તિને પરભાવ જાણું તેથી રહિત થાય છે. તેથી તે બ્રાંતિ અથવા આપને તજી પરમપદને પામે છે, મુક્ત થાય છે.
સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે “મુક્ત” છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org