Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 30
________________ ઉત્તર :- હિંસા ત્રણ પ્રકારની છે. • અનુબંધહિંસા:- જેના વગર મજેથી જીવી શકાય દાત. ટી.વી., ફીજ, લર, બાથ, વોટર પાર્ક વગર હજારો વર્ષોથી ચાલતું હતું, ક્રિકેટ મેચ વગર ચાલી શકે છે. રાવણ વધ, હોલી દહન જોયા વગર ચાલી શકે છે. નાટકસરકસ જોયા વગર ચાલી શકે છે. આવા અનર્થદંડ જેવા પાપો અને હિંસાઓ ને અનુબંધ હિંસા કહેવાય છે. એનો ત્યાગ જરૂરી છે. હેતુ હિંસા:- જમ્યા વગર ચાલી ન શકે. પીવા માટે પાણી જોઇએ. રસોઇ બનાવવા માટે અગ્નિની હિંસા કરવી પડે છે. જીવવા માટે જરૂરી આ હિંસાને હેતુહિંસા કહેવાય. આ હિંસામાં હૃદયમાં દુઃખ હોય કે “હું મોક્ષે ન ગયો માટે મારે ખાવું પીવું પડે છે” તો ઓછું પાપ બંધાય. • સ્વરૂપ હિંસા:- પૂજા માટે સ્નાન કરીયે. વ્યાખ્યાન માટે જઇએ, ગુરુવંદન માટે જઇએ. આ દરેક માં દેખીતી રીતે હિંસા છે. પરંતુ હિંસાના ભાવ ન હોવાથી પાપ લાગતું નથી. • પૂ. અભયદેવ સૂમ.... કૂવાનું ઉદાહરણ આપે છે. તરસ્યો માણસ પાણી પીવા કૂવો ખોદે તો તરસ વધે છતાં સહુને પાણી પીવા મળે. એમ પાણીથી સ્નાન કરવામાં હિંસા દેખાય છતાં ભાવથી અહિંસા છે. મહારાજ સાહેબ કેમ પૂજા ન કરે ? જેને દ્રવ્ય (પૈસા)નો રોગ હોય એદ્રવ્ય પૂજા કરે સાધુ ભાવ પૂજા કરે છે. ૧૨ પૂજા માટે સ્નાન વિધિ • રાત્રે સ્નાન રક્ત સ્નાન કહેવાય છે. માટે રાત્રે નહાવું નહીં સૂર્યોદય પછી જ સ્નાન કરી પૂજા કરવા જવું. સૂર્યોદય પહેલાં પૂજા કરીએ તો અવિધિ અજયણા થાય. • પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા માટે ઓછામાં ઓછુ પાણીથી સ્નાન કરવું. મેળ વાળું પાણી ૪૮ મિનિટમાં સૂકાઇ જાય એવી ગોઠવણ કરવી. ગુડનાઈટ. ૨૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98