Book Title: Drushtino Vishay
Author(s): Hukamchand Bharilla, Rajnibhai Gosaliya
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 54
________________ વિસ્તારક્રમ અને પ્રવાહમ – - ૪૫ થઈ જશે, એટલો નાનો થઈ જશે, અનાદિ-અનંત નહીં રહે અને તેમાં એક સાંધ લાગી જશે. આચાર્ય અમૃતચંદ્ર અહીં કાળની અખંડતાને સમજાવવા માટે પ્રદેશની અર્થાત્ ક્ષેત્રની અખંડતાનું ઉદાહરણ આપ્યું છે. અહીં કાળની અખંડતા એ સિદ્ધાંત છે અને પ્રદેશની અખંડતા એ ઉદાહરણ છે. આપણે બધા પ્રસંગ-વાર્તાને ઉદાહરણ સમજીએ છીએ, પરંતુ એમ નથી. ઉદાહરણાનો એક નિયમ છે કે ઉદાહરણ સરળ હોવું જોઈએ તથા સિદ્ધાંત અધરો હોવો જોઈએ; ઉદાહરણ લોકપ્રસિદ્ધ હોવું જોઈએ તથા સિદ્ધાંત અપ્રસિદ્ધ હોવો જોઈએ; ઉદાહરણ સ્થળ હોવું જોઈએ તથા સિદ્ધાંત સૂક્ષ્મ હોવો જોઈએ. - • જ્યારે ક્ષેત્રને બદલાવવા વિષે કોઈને વિકલ્પ આવતો નથી, તો પછી પર્યાયને બદલાવવાનો વિકલ્પ કેમ ઉત્પન્ન થાય છે ? આપણને પર્યાયને બદલાવવાની ઈચ્છા એ માટે થાય છે કે આત્માના પ્રદેશ (ક્ષેત્ર)ના પલટવાથી કોઈ બગાડ-સુધાર થતો નથી અર્થાત જો માથામાં સ્થિત આત્મપ્રદેશો પગમાં જતા રહે અથવા પગમાં સ્થિત પ્રદેશો માથામાં આવી જાય તો આપણને કોઈ દુઃખ થતું નથી; માટે પ્રદેશોના કારણે કોઈ બગાડ-સુધાર નથી. બગાડ-સુધાર તો પર્યાયમાં થાય છે અર્થાત્ કોઈ પર્યાય આપણને દુઃખમય લાગે છે અને કોઈ પર્યાય આપણને સુખમય લાગે છે, આથી પર્યાયને બદલાવવાની ઈચ્છા થાય છે. પરંતુ પર્યાયને બદલાવી શકાતી. નથી. પર્યાય સંબંધી આપણું જે અજ્ઞાન છે, તેને તો બદલાવી શકાય છે, પરંતુ પર્યાયને નહીં. 1 • વિસ્તારકમ એટલે ક્ષેત્રનો ક્રમ, વિસ્તારનો અર્થ ક્ષેત્ર અથવા ફેલાવ થાય છે અને ફેલાવનો એક નિશ્ચિત ક્રમ છે, એને બદલાવી શકાતો

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142