Book Title: Drushtino Vishay
Author(s): Hukamchand Bharilla, Rajnibhai Gosaliya
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 68
________________ તત્વવ્યવસ્થામાં દ્રષ્ટિનો વિષય છે અન ન તો તેને કહી શકે છે કે જ્યારે પણ આવ, ત્યારે પૂછીને આવ. તે બાળક તો પોતાના મમ્મી-પપ્પાના રૂમમાં જશે જ. ve જ તે જ રીતે હું એમ કહું છું કે તત્ત્વવ્યવસ્થામાં જ્યારે પર્યાયોને અર્થાત્ આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષને અલગ-અલગ તત્ત્વ કહીને જીવ અને અજીવથી અલગ કરી દીધાં છે તો પછી તેઓ જીવ અને અજીવમાં શાથી સામેલ થશે ? દ્રવ્યવ્યવસ્થામાં તો તેઓ (આસવાદિક પર્યાયો) જીવ અને અજીવમાં સામેલ થશે; કારણ કે ત્યાં તેમની કોઈ અલગ વ્યવસ્થા નથી; પરંતુ તત્ત્વવ્યવસ્થામાં તેમની જીવ-અજીવમાં સામેલ થવાની કોઈ સમસ્યા જ નથી; કારણ કે તેમને પૃથક્ તત્ત્વ બનાવી દીધાં છે. આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ – એમાં જીવની બધી પર્યાયો સામેલ છે. નિગોદથી લઇને મોક્ષ સુધીની જીવની સમસ્ત વિકારી તથા અવિકારી પર્યાયો આ આસવાદિક તત્ત્વોમાં સામેલ છે. આ આસવાદિક સિવાય જીવની એવી કોઈ પણ પર્યાય નથી, જેને આપણે જીવમાં સામેલ કરવા માંગીએ. કહેવાનું તાત્પર્ય એ છે કે સમસ્ત વિકારી અને અવિકારી પર્યાયો આસવાદિક પાંચ તત્ત્વોમાં જ સામેલ છે, જીવમાં સામેલ નથી. સમસ્ત વિકારી અને અવિકારી પર્યાયોથી રહિત જીવતત્ત્વ જ દ્રવ્યદ્રષ્ટિનો વિષય છે. આ જ સંપૂર્ણ કથનનો સાર છે.

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142