Book Title: Drushtino Vishay
Author(s): Hukamchand Bharilla, Rajnibhai Gosaliya
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 76
________________ જ્ઞાનગોષ્ટિ જ ૧૭ પર્યાય કરે છે, તેનો જે દ્રષ્ટિના વિષયમાં નિષેધ કરવામાં આવશે તો એ જ્ઞાનપર્યાય. આત્માને જાણશે કેવી રીતે ? તેની વિરૂદ્ધમાં હું એ કહેવા માંગુ છું કે જે તમે ક્ષયોપશમ જ્ઞાનની પર્યાયને પણ દ્રષ્ટિના વિષયમાં સામેલ કરી દેશો તો પછી જાણશે કોણ ? દ્રષ્ટિનો વિષય એટલે જ્ઞાનનો વિષય, આપણે દુનિયાને બે ભાગોમાં વહેંચવાની છે. એક જાણનાર અને બીજો જાણવામાં આવનાર તેમાં પર્યાય જાણવાવાળી છે અને દ્રવ્ય જાણવામાં આવવાવાળું છે. જો પર્યાયને જ દ્રવ્યમાં સામેલ કરી દઈશું તો પછી જાણશે કોણ ? જો દરેક બારાતી (વરપક્ષવાળા)ને આપણે ઘરાતી (કન્યાપક્ષવાળા)માં સામેલ કરી દઈશું તો બરાત (વરઘોડો) કેવી રીતે આવશે ? દ્રષ્ટિ તો એ છે કે જે સ્વયં દ્રષ્ટિના વિષયમાં સામેલ નથી. જો તે પણ સામેલ થઈ જશે તો વિષય અને વિષયીનો ભેદ કેવી રીતે રહેશે? તેથી વિષય-વિષયીનો ભેદ રાખવા માટે એ જ્ઞાન પર્યાયને બિલકુલ અલગ રહેવાનું છે. ' " દ્રષ્ટિ શબ્દનો એક પ્રયોગ થાય છે ‘શ્રદ્ધા'ના અર્થમાં અને તેનો બીજો અર્થ થાય છે “આ નયની અપેક્ષાએ. જેમકે માતાની અપેક્ષાએ આ પુત્ર છે. આમ દ્રષ્ટિ શબ્દનો અર્થ અપેક્ષા પણ થાય છે. અહીં કહે છે કે જે પોતાપણું સ્થાપિત કરવા લાયક પદાર્થ છે, તે દ્રષ્ટિનો વિષય છે. જો આપના કહેવાથી ક્ષયોપશમજ્ઞાનની પર્યાયને દ્રષ્ટિના વિષયમાં સામેલ કરી દઈએ તો એક સમય પછી તો એ નષ્ટ થઈ જવાથી આગલે સમયે દ્રષ્ટિ નિરાશ્રય થઈ જશે. આથી દ્રષ્ટિ કદી નિરાશ્રય ન હો, તે માટે એ જરૂરી છે કે જે નષ્ટ થવાવાળું છે તેમાં પોતાપણું ન સ્થાપિત કરવામાં આવે. લૌકિકમાં પણ કહે

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142