________________
૭૨
-
- દ્રષ્ટિનો વિષય કે ગુણો અને પ્રદેશોને રાખીને પર્યાયોને દ્રષ્ટિના વિષયમાંથી કાઢી નાખવામાં આવી છે.
ભાઈસાહેબ ! ગુણભેદ અને પર્યાયભેદ પર્યાયાર્થિકનયના વિષય છે, તેથી તેમનું નામ પર્યાય છે. આ સમજવા માટે દ્રવ્ય-ગુણ-પર્યાયની જૂની વ્યાખ્યા ભૂલવી પડશે અને શીખવું પડશે કે જે પર્યાયાર્થિકનયનો વિષય હોય તે બધાનું નામ પર્યાય છે અને જે દ્રવ્યાર્થિકનયનો વિષય હોય તે બધાનું નામ દ્રવ્ય છે.'
શ્લોકવાર્તિકની ટીકા શ્રી માણેકચંદજી કોટેએ લગભગ ૫૦ વર્ષ પહેલાં લખી છે. તેમાં એક પ્રશ્ન ઉઠાવ્યો છે કે દ્રવ્ય, ગુણ અને પર્યાય એમ ત્રણ છે તો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ ફક્ત બે જ નયો શા માટે ? ત્રીજો એક ગુણાર્થિકનય પણ હોવો જોઈએ ? તેનો ઉત્તર એમાં એમ આપ્યો છે કે ગુણોનો ભેદ તે પર્યાયાર્થિકનયનો વિષય છે અને ગુણોનો અભેદ દ્રવ્યાર્થિકનયનો વિષય છે, આથી ત્રીજા ગુણાર્થિકનયની
જરૂર નથી.
દ્રવ્યાર્થિકનયના જે જે વિષય છે તેઓ દ્રષ્ટિના વિષયમાં સામેલ છે. આથી ગુણોનો અભેદ, પ્રદેશોનો અભેદ, કાળનો અભેદ – એ બધા દ્રષ્ટિના વિષયમાં સામેલ છે.
હવે જ્યારે લોકો એમ માને છે કે દ્રવ્ય અને ગુણને દ્રષ્ટિના વિષયમાં રાખી લીધાં અને પર્યાયોને કાઢી નાખી, ત્યારે તેઓ બે પ્રકારની ભૂલો કરે છે. ૧. પર્યાયને કાઢવાના નામ પર આપણે કાળની અખંડતાને પણ કાઢી
નાખી, એટલે કે અનુસ્મૃતિથી રચિત પ્રવાહને કાઢી નાખ્યો; માટે
દ્રવ્ય ખંડિત થઈ ગયું. ૨. જે ગુણભેદ અને પર્યાયભેદ પર્યાય હતા તેને દ્રષ્ટિના વિષયમાં
સામેલ કરી લીધા, માટે પર્યાય સામેલ થઈ ગઈ અને દ્રવ્યનો એક