Book Title: Drushtino Vishay
Author(s): Hukamchand Bharilla, Rajnibhai Gosaliya
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 133
________________ દ્રષ્ટિનો વિષય પ્રશ્ન :- પ્રત્યેક વસ્તુ સ્વચતુષ્ટયસહિત હોય છે. સ્વચતુષ્ટય વગર વસ્તુની કલ્પના પણ કરી શકાતી નથી. જેમ પ્રત્યેક વસ્તુ સ્વયં દ્રવ્ય છે, તેના પ્રદેશ તેનું ક્ષેત્ર છે, તેના ગુણ તેનો ભાવ છે; તેવી જ રીતે તેની પર્યાયો તેનો કાળ છે. દૃષ્ટિના વિષયમાં ગુણભેદનો નિષેધ કરીને પણ ગુણોને અભેદરૂપ રાખીને ‘ભાવ’ ને સુરક્ષિત કરી દીધો, પ્રદેશભેદનો નિષેધ કરીને પણ પ્રદેશોને અભેદરૂપે રાખીને ‘ક્ષેત્ર’ ને સુરક્ષિત કરી દીધું, તેવી જ રીતે પર્યાયભેદનો નિષેધ કરીને પર્યાયોને અભેદરૂપ રાખીને ‘કાળ’ ને પણ સુરક્ષિત કરી દેવો જોઈએ; પરંતુ આપ તો પર્યાયોનો સર્વથા નિષેધ કરી વસ્તુને કાળથી અખંડિત રહેવા દેવા માંગતા નથી; આ જ સમયસારમાં આગળ ભાવના ભાવવામાં આવી છે કે, ન દ્રવ્યેળ સ્વયામિ, ન ક્ષેત્રેળ સંધ્યામિ, ન ાલેન યામિ, ન માવેન खंड्यामि, सुविशुध्ध अको ज्ञानमात्र भावोऽस्मि १ ન હું દ્રવ્યથી ખંડિત છું, ન ક્ષેત્રથી ખંડિત છું, ન કાળથી ખંડિત છું અને ન ભાવથી ખંડિત છું; હું તો સુવિશુદ્ધ એક જ્ઞાનમાત્ર ભાવ છું. આ ભાવનામાં આત્માને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી પૂર્ણતઃ અખંડિત રાખવામાં આવ્યો છે. ૧૨૪ ઉત્તર : – દૃષ્ટિના વિષયભૂત ભગવાન આત્માને સામાન્ય અનાદિ-અનંત ત્રિકાળીધ્રુવ નિત્ય, અસંખ્યાત પ્રદેશી-અભેદ, તેમજ અનંતગુણાત્મક – અખંડ, એક કહેવામાં આવ્યો છે. એમાં જેમ સામાન્ય કહીને દ્રવ્યને અખંડ રાખ્યું છે, અસંખ્યપ્રદેશી-અભેદ કહીને ક્ષેત્રને અખંડ રાખ્યું છે; તેવી જ રીતે અનાદિ-અનંત ત્રિકાળીધ્રુવ નિત્ય કહીને કાળને પણ અખંડ રાખવામાં આવ્યો છે. અંતમાં એક કહીને બધા પ્રકારની અનેકતાનો નિષેધ કર્યો છે. આ રીતે દૃષ્ટિના વિષયભૂત ત્રિકાળીધ્રુવ

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142