________________
જ્ઞાનગોષ્ટિ
જ ૧૭
પર્યાય કરે છે, તેનો જે દ્રષ્ટિના વિષયમાં નિષેધ કરવામાં આવશે તો એ જ્ઞાનપર્યાય. આત્માને જાણશે કેવી રીતે ? તેની વિરૂદ્ધમાં હું એ કહેવા માંગુ છું કે જે તમે ક્ષયોપશમ જ્ઞાનની પર્યાયને પણ દ્રષ્ટિના વિષયમાં સામેલ કરી દેશો તો પછી જાણશે કોણ ?
દ્રષ્ટિનો વિષય એટલે જ્ઞાનનો વિષય, આપણે દુનિયાને બે ભાગોમાં વહેંચવાની છે. એક જાણનાર અને બીજો જાણવામાં આવનાર તેમાં પર્યાય જાણવાવાળી છે અને દ્રવ્ય જાણવામાં આવવાવાળું છે. જો પર્યાયને જ દ્રવ્યમાં સામેલ કરી દઈશું તો પછી જાણશે કોણ ?
જો દરેક બારાતી (વરપક્ષવાળા)ને આપણે ઘરાતી (કન્યાપક્ષવાળા)માં સામેલ કરી દઈશું તો બરાત (વરઘોડો) કેવી રીતે આવશે ?
દ્રષ્ટિ તો એ છે કે જે સ્વયં દ્રષ્ટિના વિષયમાં સામેલ નથી. જો તે પણ સામેલ થઈ જશે તો વિષય અને વિષયીનો ભેદ કેવી રીતે રહેશે? તેથી વિષય-વિષયીનો ભેદ રાખવા માટે એ જ્ઞાન પર્યાયને બિલકુલ અલગ રહેવાનું છે. '
" દ્રષ્ટિ શબ્દનો એક પ્રયોગ થાય છે ‘શ્રદ્ધા'ના અર્થમાં અને તેનો બીજો અર્થ થાય છે “આ નયની અપેક્ષાએ. જેમકે માતાની અપેક્ષાએ આ પુત્ર છે. આમ દ્રષ્ટિ શબ્દનો અર્થ અપેક્ષા પણ થાય છે.
અહીં કહે છે કે જે પોતાપણું સ્થાપિત કરવા લાયક પદાર્થ છે, તે દ્રષ્ટિનો વિષય છે. જો આપના કહેવાથી ક્ષયોપશમજ્ઞાનની પર્યાયને દ્રષ્ટિના વિષયમાં સામેલ કરી દઈએ તો એક સમય પછી તો એ નષ્ટ થઈ જવાથી આગલે સમયે દ્રષ્ટિ નિરાશ્રય થઈ જશે. આથી દ્રષ્ટિ કદી નિરાશ્રય ન હો, તે માટે એ જરૂરી છે કે જે નષ્ટ થવાવાળું છે તેમાં પોતાપણું ન સ્થાપિત કરવામાં આવે. લૌકિકમાં પણ કહે