________________
વિસ્તારક્રમ અને પ્રવાહમ –
- ૪૫
થઈ જશે, એટલો નાનો થઈ જશે, અનાદિ-અનંત નહીં રહે અને તેમાં એક સાંધ લાગી જશે.
આચાર્ય અમૃતચંદ્ર અહીં કાળની અખંડતાને સમજાવવા માટે પ્રદેશની અર્થાત્ ક્ષેત્રની અખંડતાનું ઉદાહરણ આપ્યું છે. અહીં કાળની અખંડતા એ સિદ્ધાંત છે અને પ્રદેશની અખંડતા એ ઉદાહરણ છે. આપણે બધા પ્રસંગ-વાર્તાને ઉદાહરણ સમજીએ છીએ, પરંતુ એમ નથી.
ઉદાહરણાનો એક નિયમ છે કે ઉદાહરણ સરળ હોવું જોઈએ તથા સિદ્ધાંત અધરો હોવો જોઈએ; ઉદાહરણ લોકપ્રસિદ્ધ હોવું જોઈએ તથા સિદ્ધાંત અપ્રસિદ્ધ હોવો જોઈએ; ઉદાહરણ સ્થળ હોવું જોઈએ તથા સિદ્ધાંત સૂક્ષ્મ હોવો જોઈએ. - • જ્યારે ક્ષેત્રને બદલાવવા વિષે કોઈને વિકલ્પ આવતો નથી, તો પછી પર્યાયને બદલાવવાનો વિકલ્પ કેમ ઉત્પન્ન થાય છે ?
આપણને પર્યાયને બદલાવવાની ઈચ્છા એ માટે થાય છે કે આત્માના પ્રદેશ (ક્ષેત્ર)ના પલટવાથી કોઈ બગાડ-સુધાર થતો નથી અર્થાત જો માથામાં સ્થિત આત્મપ્રદેશો પગમાં જતા રહે અથવા પગમાં સ્થિત પ્રદેશો માથામાં આવી જાય તો આપણને કોઈ દુઃખ થતું નથી; માટે પ્રદેશોના કારણે કોઈ બગાડ-સુધાર નથી.
બગાડ-સુધાર તો પર્યાયમાં થાય છે અર્થાત્ કોઈ પર્યાય આપણને દુઃખમય લાગે છે અને કોઈ પર્યાય આપણને સુખમય લાગે છે, આથી પર્યાયને બદલાવવાની ઈચ્છા થાય છે. પરંતુ પર્યાયને બદલાવી શકાતી. નથી. પર્યાય સંબંધી આપણું જે અજ્ઞાન છે, તેને તો બદલાવી શકાય છે, પરંતુ પર્યાયને નહીં. 1 • વિસ્તારકમ એટલે ક્ષેત્રનો ક્રમ, વિસ્તારનો અર્થ ક્ષેત્ર અથવા ફેલાવ થાય છે અને ફેલાવનો એક નિશ્ચિત ક્રમ છે, એને બદલાવી શકાતો