________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૭ર પ્રકારના વિકલ્પો નીકળી જાય.) વિકલ્પ નીકળી જાય બસ. સ્વભાવનું ભાન અને સ્વભાવ (પર્યાય) નું જ્ઞાન રહી જાય છે. (પર્યાય સ્વભાવનું જ્ઞાન અને દ્રવ્ય સ્વભાવનું ભાન, હૈ ના?) ઐસા હૈ, ઐસા હૈ. (શ્રોતા-વાહ! બહુ સરસ.)
દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવની રચના રૂપે શબ્દ પરિણમી ગયું છે બસ. હું? (આપ જેવું સ્વરૂપ છે તેવું બતાવો છો.) હા. એવું જ હોં ! પળ હતી પળ. (શબ્દમેં ભી આત્માકો કહુને કી શક્તિ હૈ ના ?) શક્તિ હૈ. બે ભાગ પાડે છે ગુરુદેવ! (બરાબર.) શબ્દમાં કહેવાની શક્તિ છે એટલે તો આ પરંપરા ચાલે છે ઉપદેશની.
(આત્મા વ્યવહારનયે કર્તા ભોક્તા છે એમ ન લે. અચ્છા? અને પર્યાયનો કર્તા પર્યાય નિશ્ચયનય છે એમ પણ ન લે.) આત્મામાં વ્યવહારનય ન લગાડ અને પર્યાયમાં નિશ્ચયનય છે એમ પણ ન લે.) આત્મામાં વ્યવહારનય ન લગાડ અને પર્યાયમાં નિશ્ચયનય ન લગાડ એમ! (બરાબર.) નહીં તો એમ કહેવાય કે પર્યાયનો કર્તા ભોક્તા નિશ્ચયથી છે પર્યાય એમ કહેવાય. ને ઉપચારથી આત્મા છે એમ કહેવાય. (ઈસમેં કયા ઈસમેં તો વિકલ્પ હી ઉત્પન્ન હોતા હૈ.) વિકલ્પ હી ઉત્પન્ન હોતા હૈ. (ન તો દ્રવ્યનો સ્વભાવ ખ્યાલમાં આવશે ન તો પર્યાયનો સ્વભાવ ખ્યાલમાં આવશે. આ તો ભાઈ ! કોઈ જુદી જ જાતની વાત આવી. વાત જ અલગ ટાઈપની વાતમાં જ નિર્વિકલ્પતા આવી જાય એવું છે.) એટલું જ છે.
આત્મા વ્યવહારનયે કર્તા-ભોક્તા છે એમ ન લે. અને પર્યાયનો કર્તા પર્યાય નિશ્ચયનયે છે-એમ પણ ન લે! પર્યાય સ્વભાવથી જ ક્રિયાવંત છે એમ જાણ. કોઈ નયપક્ષ ઊભો નહીં થાય. બે પ્રકારના જે વિકલ્પ ઉપર કહ્યા ને? એ વિકલ્પ નહીં ઉત્પન્ન થાય, એમ. પર્યાય જણાય એ પણ સ્વાભાવિક છે. પર્યાય જણાય એ પણ સ્વાભાવિક છે. એવી જ કોઈ સ્વભાવિક સ્વચ્છતા છે. એના જાણપણાનો (જણાવાપણાનો) નિષેધ નથી. પ્રથમ નિષેધ કરાવ્યો કેમકે પર્યાયમાં જ આત્મબુદ્ધિ હતી. એટલે નિષેધ કરાવ્યો. હવે તો આત્માને જાણતાં-જાણતાં પર્યાય એના ઘર્મો સહિત જેમ છે તેમ જણાય છે.
પર્યાય એના ધર્મો સહિત, વીતરાગ ધર્મ કે રાગ ધર્મ જે હોય ઈ. સહિત(માત્ર) પર્યાય જણાય છે એમ નહીં. પર્યાય એના ધર્મો સહિત, જેમ છે તેમ પર્યાયનો જ્ઞાતા પણ બરાબર હોય છે. જે પર્યાય જે રીતે છે તે રીતે જ્ઞાનમાં જણાય ને? એમ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com