Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 217
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૨૩ એ મિથ્યાદષ્ટિ છે. વિકલ્પ એનું કર્તાનું કર્મ થઈ ગયું, જ્ઞાન કર્મ ન થયું. એ રીતે જે નિશ્ચયનયનું આલંબન કરે છે તેને આત્માનું આલંબન નથી, તે મિથ્યાદષ્ટિ કેમ હોય ? અર્થાત્ વ્યવહારનયનું આલંબન કરનારને મિથ્યાદષ્ટિ કહેવામાં આવે છે એ તો બરાબર છે. એ તો વ્યાજબી છે. પરંતુ નિશ્ચયનયનું અવલંબન એટલે કે નિશ્ચયનયના વિકલ્પનું અવલંબન, એટલે કે નિશ્ચયનયના વિકલ્પનું અવલંબન એની દષ્ટિ વિકલ્પ ઉપર છે એણે નિર્ણય કરી લીધો છે! એ નિર્ણય એ એક સમયની જ્ઞાનની પર્યાય છે. માનસિક જ્ઞાન છે અને આગળ ન કરાય, એ આવી જાય રસ્તામાં એ વાત જુદી છે. પણ એના ઉપર રાગ કરવા જેવો નથી. અર્થાત્ વ્યવહારનયનું અવલંબન કરનારને પણ મિથ્યાદષ્ટિ કહેવામાં આવે છે, એ તો બરોબર છે, પરંતુ નિશ્ચયનયનું અવલંબન કરનારને પણ મિથ્યાદષ્ટિ કહેવામાં આવે છે. એ કેવી રીતે છે? એ પ્રશ્ન (ચાલે છે) છે. આખો પાંચ લીટીનો પ્રશ્ન છે. હવે એનો ઉત્તર આપે છે. પંચાધ્યાયી કર્તા. ઉત્તરઃ- બરોબર છે. અમે જે મિથ્યાદષ્ટિ કહ્યું છે. નિશ્ચયનયના વિકલ્પનું અવલંબન લેવાવાળો જીવ મિથ્યાષ્ટિ છે, જે આપે કહ્યું છે ... બરાબર છે. કેમકે વિકલ્પ તોડીને અનુભવમાં આવતો નથી. હજી એ ત્યાં ને ત્યાં જ ઉભો છે, ઈ.... બરાબર છે. પરંતુ નિશ્ચયનયથી પણ વિશેષ કાંઈક છે. આહાહા! એ જે ખરેખર તો વચનાતીત અનુભવગમ્ય છે. વાણીમાં ના આવે એવું છે. નિશ્ચયનયથી પણ વિશેષ કાંઈક છે. એ સૂક્ષ્મ છે. અતીન્દ્રિય જ્ઞાનથી આત્માનો અનુભવ થાય છે. પણ અતીન્દ્રિયજ્ઞાન કેવું હોય? એ કહી શકાતું નથી. તેથી તે ગુરુના જ ઉપદેશને યોગ્ય છે. એ કોઈ વખતે કોઈ જીવ પાકેલો હોય અને એનો કાળ પાકી ગયો હોય પર્યાયનો, ત્યારે કોઈ જ્ઞાની એને ઈશારો કરે તો ત્યાં ને ત્યાં અનુભવ કરી લ્ય એવો બનાવ બની ગયો છે. ધર્મદાસ ક્ષુલ્લક થઈ ગયા. એ પોતાના આત્માના અનુભવ માટે, મોક્ષમાર્ગ ગ્રહણ કરવા માટે એમણે ખૂબ ક્રિયાકાંડ કર્યા પછી જે કોઈ કહે તે કરવા માંડે. કોઈ કહે ગિરનારની ત્રણ વખત જાત્રા કરો તો સમ્યગ્દર્શન-અનુભવ થાય. કોઈ કહે સન્મેદશિખર સો વખત જાવ તો તમને ધર્મ થાય. સો વખત ચઢે ને ઊતરે એમ જે કોઈ મળે વિદ્વાનોપંડિતો, એ જે પ્રમાણે કહે એ પ્રમાણે કરતા રહે. કરતા-કરતા થાકયા ત્યારે એમાં અનુભવ થયો નહીં, દર્શન ન થયા. મારે તો આત્માના ભગવાનના દર્શન કરવા છે. ભગવાનના દર્શન કરવા છે. એમ કહે. તમે અહીં જશો તો ભગવાનના દર્શન થશે. કોઈ કહે ત્રીસ ત્રીસ ઉપવાસ કરો તો ભગવાનના દર્શન થશે. ત્રીસ ઉપવાસ કર્યા ... સમજી ગયા. કોઈ કહે ઊભા-ઊભા આહાર કરો તો દર્શન થશે. ઊભા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276