Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 275
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૮૧ જ્ઞાનને હોતું નથી માટે પ૨ને જાણતું નથી અને ૫૨ને જાણનારું જ્ઞાન ઈન્દ્રિયજ્ઞાન છે. એટલે હું ૫૨ને જાણતો નથી. કેમકે ઇન્દ્રિયજ્ઞાન મારાથી સર્વથા ભિન્ન છે. અભ્યાસ કરે તો સમજાય એવું છે. અભ્યાસ એટલે ! ચિંતન, મનન, મંથન, અભ્યાસ કરવો જોઈએ. બે ચાર ભાઈઓ ભેગા થઈને, ચાર બહેનો ભેગા થઈને તત્ત્વચર્ચા કરવી જોઈએ. જીવને તત્ત્વચર્ચા ભલી છે. ટોડરમલજી સાહેબે લખ્યું છે કે આ કાળમાં તત્ત્વચર્ચા ભલી છે. કાગળો (પત્ર) આવતા હતા ને! તત્ત્વચર્ચા ભલી છે. તેમાં જ્ઞાનનો ખુલાસો થાય. તેથી અરસ-પરસ તત્ત્વચર્ચા ભલી છે. ભલે સમ્યગ્દષ્ટિ ન હોય તો કાંઈ નહીં પણ તત્ત્વચર્ચા ભલી છે. એ વિધિનિષેધ નયમાં છે. જ્ઞાનમાં નથી વિધિ-નિષેધ નયમાં હોય. નિષેધમાં દ્વેષ આવે છે. અને વિધિમાં રાગ થાય છે. “નિશ્ચયનયે હું અકર્તા છું” એમાં રાગ થાય છે. નિશ્ચયનયે હું જ્ઞાતા છું, એમાં રાગનો રાગ થાય છે. શુભાગ છે. વીતરાગભાવ નથી હજુ. એટલે વિધિ-નિષેધ નયમાં છે. પરંતુ સ્વભાવથી જ જ્ઞાન આત્માને જાણી રહ્યું છે એમાં વિધિ-નિષેધના વિકલ્પ બન્ને એક સાથે જાય છે. સ્વભાવથી જ જ્ઞાન બાળ-ગોપાળ સૌને, બાળ–ગોપાળમાં હું આવી ગયો. ન આવ્યો ? બહાર રહે? આવી ગયો. જ્ઞાનમાં મારો પરમાત્મા સદાય જણાઈ રહ્યો છે. જાણનારો મને જણાય છે. એમાં કોઈ પણ પ્રકારના વ્યવહારના વિકલ્પ કે નિશ્ચયનયના વિકલ્પ ઊઠતા જ નથી. સ્વભાવ સુધી પહોંચી જાય તો વિકલ્પની ઉત્પત્તિ થતી નથી. મનના સંગે વિકલ્પ ઉત્પન્ન થતા 'તા હવે આત્માના સ્વભાવના સંગે જાય તો વિકલ્પ ઉત્પન્ન થતા નથી. નિર્વિકલ્પ શાંતિનો અનુભવ થાય. નિશ્ચયનય છોડી દે. હું તો સ્વભાવથી જ અકર્તા છું તો કર્તાનો વિકલ્પ છૂટી જાય ને અનુભવ થાય છે. ઇન્દ્રિયજ્ઞાનનો ધર્મ જ આવો છે. નિશ્ચયનયથી જ્ઞાન આત્માને જાણે છે, જ્ઞાન પરને જાણતું નથી. આ રીતે નિશ્ચયનય વ્યવહારનયનો નિષેધ કરે છે. વિધિનિષેધ નયમાં છે. પરંતુ સ્વભાવથી જ જ્ઞાન આત્માને જાણે છે. નયથી નહીં. ઉપયોગ લક્ષણ છે એનો સ્વભાવ જ એવો છે કેઃ આત્માને જાણે જાણે ને જાણે જ. આત્માને જાણે અને ૫૨ને ન જાણે. એમ આત્માનેય જાણે અને ૫૨નેય જાણે એમ છે નહીં. સ્વપર પ્રકાશકનો ખુલાસો આવતી કાલે ઘણો આવશે સારો. અજ્ઞાની પાસે ઉપયોગ લક્ષણ છે. સામાન્ય લક્ષણ. અને એ ઉપયોગનું લક્ષણ સ્વપર પ્રકાશક છે. એ સ્વપર પ્રકાશકમાં આવિર્ભાવ તિરોભાવ કરે તો શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય અને એનું લક્ષણ એકાંતે સ્વપ્રકાશક જ છે; આશ્રયની વિવિક્ષાથી. કાલે આ બધું આવશે. જ્ઞાનમાં ઘણા વિચારો આવે છે. કાલ સવારે વાત. માંગણી છે ને? ( શ્રોતાઅત્યારે લઈ લ્યો.) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 273 274 275 276