Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 249
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૫૫ જ્ઞાન નિશ્ચયનયે આત્માને જાણતું નથી. અરે! આ શું કહો છો? બોલો, કુંભારથી ઘડો થાય? કે ન થાય. (તેમ) જ્ઞાન આત્માને નિશ્ચયનયથી નથી જાણતું? “ના', નથી જાણતું. આ શું? શું નિશ્ચયનયે નથી જાણતું તો શું વ્યવહારનયે જાણે છે? અરે ભાઈ ! તું સાંભળ! હું ત્રીજી વાત કરું છું. વ્યવહારનયે પણ જ્ઞાન આત્માને જાણે નહીં. અને નિશ્ચયનયે પણ જ્ઞાન આત્માને જાણતું નથી. હું આ બેય ઉપરાંત એક ત્રીજી વાત કરું છું. પ્રતિક્રમણ અને અપ્રતિક્રમણ એ સિવાય એક બીજી ભૂમિકા છે એમાં અનુભવ થાય. અપ્રતિક્રમણ એ તો ઝેર છે, પણ પ્રતિક્રમણનો વિકલ્પ પણ ઝેર છે. શુભરાગ છે ને? એ લીધું છે. આ તો બેય પ્રકારના પ્રતિક્રમણ કરતાં ત્રીજા પ્રકારના પ્રતિક્રમણની વાત છે. અરે ! આ સમયસાર એટલે શું? અપ્રતિક્રમણ તો નિષેધ કરવા યોગ્ય છે-પાપના પરિણામ, એ તો કોઈ સવાલ જ નથી, પણ પ્રતિક્રમણનો જે શુભરાગ આવે છે એમાં પણ આકુળતા થાય છે. ભાઈ ! એ ખરેખર પ્રતિક્રમણ નથી. વ્યવહાર પ્રતિક્રમણ એ પ્રતિક્રમણ નથી. એનાથી જુદી એક ત્રીજી ભૂમિકા છે કે જ્યાં પ્રતિક્રમણનો વિકલ્પ પણ ઉત્પન્ન થાય નહીં. પૂર્વે લાગેલા દોષો એ એનો ત્યાગ કરીને, એને ટાળવા એવો વિકલ્પ પણ જ્યાં છે નહીં, એ તો સ્વરૂપમાં લીન થઈ ગયો છે. સ્વરૂપમાં લીન થયો તો પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, અને આલોચના બધું એક સમયમાં થઈ ગયું. એક વીતરાગ ભાવમાં દશ લક્ષણ આવ્યા છે ને? એક વીતરાગી પર્યાયમાં દશે ધર્મો સમાઈ જાય છે. પ્રતિક્રમણમાં એ આવે છે. તું સાંભળ ! હું ત્રીજી વાત કરું છું. પ્રતિક્રમણમાં આવે છે. શાસ્ત્રમાં પણ છે, “જ્ઞાન” જો-જો જ્ઞાન. જ્ઞાન એટલે શું? આ સમયસારમાં આમ લખ્યું છે, એવું જે જ્ઞાન. એ જ્ઞાન છે? (ના.) તારું જ્ઞાન સમયસારમાં છે? (નહીં.) જ્ઞાન સમયસારમાં ન હોય. પણ (નિજ) સમયસારમાં હોય. એક નિમિત્તરૂપ સમયસાર અને એક ઉપાદાનરૂપ સમયસાર. જ્ઞાન સ્વભાવથી જ આત્માને જાણે છે, બોલો. એ ક્યારે? ચોથા કાળમાં? નિરંતર જ્ઞાન આત્માને જ જાણે છે. એને નય લાગુ પડતી નથી. સ્વભાવથી જ છે પછી ક્યાં પ્રશ્ન છે નયનો? એક દ્રવ્ય સ્વભાવ અને એક પર્યાય સ્વભાવ, બન્નેના સ્વભાવને લક્ષમાં લે. સ્વભાવને લક્ષમાં લે તો એક અનુભવ થાય. દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ, એને સ્વભાવથી જુઓ તો અનુભવ થઈ જાય. દ્રવ્યને દ્રવ્યના સ્વભાવથી જુઓ અને પર્યાયને પર્યાયના સ્વભાવથી જુઓ તો તને અનુભવ થઈ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276