________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૫૭ સવિકલ્પાત્મક જ્ઞાનની પર્યાય ઉદય પામતી નથી. રાગના સંબંધવાળું જ્ઞાન ઉત્પન્ન થતું નથી. રાગના સંબંધને છોડીને એ જ્ઞાન પ્રગટ થાય છે. નય અસ્ત થાય છે. ત્યારે સ્વાભાવિક જ્ઞાન ઉદય થાય છે. જ્યારે આત્માને સ્વભાવથી જુએ છે ત્યારે નયોના વિકલ્પ છૂટી જાય છે. સમયસાર કળશ નવમાં આવે છે કે :
उदयति न नयश्रीरस्तमेति प्रमाणं क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्रम। किमपरमभिदध्मो धाम्नि सर्वकषेऽस्मि
न्ननुभवमुपयाते भाति न द्वैतमेव।।९।। આ પુસ્તિકા લખાણી તો કોઈ કહે આ ઘરનું લખાણ છે. ભાઈ ! આમાં ઘરનું કાંઈ નથી. જે સંતોએ વર્ણવ્યું છે તેનું સ્પષ્ટીકરણ કરીએ છીએ. આ બધી વાત છે, સ્વભાવની વાત છે ઘરની, આત્માની છે. પણ અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે આ બધા આત્માનો સ્વભાવ જ એવો છે કે નથી જણાય એવો નથી. શાસ્ત્રજ્ઞાનથી જણાય એવો નથી. આત્મજ્ઞાનથી આત્મા જણાય છે.
શ્લોકાર્ધ - આચાર્ય શુદ્ધનયનો અનુભવ કરીને કહે છે કે શુદ્ધનયનો એટલે કે શુદ્ધાત્માનો અનુભવ કરીને કહે છે અથવા શ્રુતજ્ઞાનનો અનુભવ કરીને કહે છે. શ્રુતજ્ઞાન કહો કે આત્મા કહો એક જ છે. આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનયનો વિષયભૂત ચૈતન્ય ચમત્કાર માત્ર તેજ: પૂંજ આત્મા; સામાન્ય-સામાન્ય-અનાદિ અનંત જ્ઞાયક ટંકોત્કીર્ણ એક આત્મા અંદર બિરાજમાન છે. તેનો અનુભવ થતાં નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. એટલે નયોના વિકલ્પ ઉત્પન્ન થતા નથી. અર્થાત્ વિકલ્પ શાંત થઈ જાય છે. પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે પ્રમાણના વિકલ્પો અસ્ત થાય છે.
દ્રવ્ય-પર્યાયને એક સાથે જાણનારું જ્ઞાન છે તેને પ્રમાણ કહેવામાં આવે છે. એ વિકલ્પાત્મક પ્રમાણ કહેવાય. પ્રમાણ અને નયના પ્રકાર બળે છે. નય અને પ્રમાણ વિકલ્પાત્મક હોય અને નય અને પ્રમાણ નિર્વિકલ્પ પણ હોય છે. પણ અહીંયા નય અને પ્રમાણ તે વિકલ્પાત્મક સાધકની ભૂમિકા બતાવી. સાધક એટલે જેને સમ્યગ્દર્શન સાધ્ય છે એને પણ સાધક કહેવાય અને સાધક થયા પછી એને સાધ્ય મોક્ષ છે એને પણ સાધક કહેવાય.
અહીંઆ તો જેને સમ્યગ્દર્શન પ્રગટ નથી થયું એવો જીવ નય દ્વારા વિચારે છે. અનુભવના કાળમાં નયોના વિકલ્પ ઉત્પન્ન થતા નથી અને નિક્ષેપોનો સમૂહું ક્યાં જતો રહે છે તે અમે જાણતા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com