Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 268
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૭૪ હતા. એમાં એ ચૂનો ભીંતને લાગ્યો, પહેલાં એમ કહેતો હતો કે ચૂનો સફેદ અને ભીંત કાળી, પણ જ્યાં એ ચૂનો ભીંતને લાગ્યો તો અમે બીજે દિ પૂછયું હવે? તો ભીંત સફેદ. ભીંત સફેદ, ભીંત સફેદ, ભીંત સફેદ ચૂનો તો ગાયબ થઈ ગયો એને ચૂનો દેખાતો નથી. એને ભીંત સફેદપણે દેખાણી. પહેલાં ભીંત કાળી હતી, હવે સફેદ દેખાણી. અરે ! કહે છે કે ખડીનો નાશ થઈ ગયો. ખડી રહી નહીં. ડબ્બાનાં હતી ત્યાં સુધી તો ચૂનો હતો, અને ડબ્બો ખાલી ખાલી દેખાણો અને ભીંત સફેદ દેખાણી. ભીંત સફેદ-ભીંત સફેદ-ભીંત સફેદ કરવા માંડયો. આહાહા! એમાં લખે છે કે જેને એવી ભ્રાંતિ થાય છે કે ભીંત સફેદ થઈ હવે, તો કહે છે કે ચૂનાનો એણે નાશ કર્યો. એમ “જ્ઞાયક નથી ત્યમ પર તણો.” જ્ઞાયક પરને જાણતો નથી એવો સ્વભાવ છે. પણ એને જ્યાં જ્ઞય સામે આવ્યું તો સ્વભાવથી ભ્રષ્ટ થઈને “હું આ શેયને જાણું છું” આહા! કહે છે.... લખે છે કે: આત્માનો નાશ થઈ ગયો. તારી દષ્ટિમાં આત્માનું અસ્તિત્વ આવ્યું નહીં. આહાહા ! તારી દષ્ટિમાં તારા જ્ઞાનનું શેય રાગ થઈ ગયો. (ભ્રાંતિથી) પ્રભુજેમ ખડી ભીંતને સફેદ કરતી નથી એમ જ્ઞાયક પરને જાણતો નથી. જ્ઞાયક તો બસ જ્ઞાયક છે. બહુ સારી ટીકા છે. કેટલાકની માંગ છે કે હવે સેટીકાની ગાથા લેવાની. માંગ તો આવ્યા કરે ને? હવે દિવસો ક્યાં રહ્યા? ગજબની ગાથા છે. ભેદજ્ઞાન કરી દે એવી ગાથા છે. ખડી ભીંતને સફેદ કરે છે કે કરતી નથી ? સફેદ ન કરે? (સફેદ ન કરે. સફેદ તો ચૂનાનો ધર્મ છે.) આ વાણિયાને જરાક શરમ આવે એવી વાત છે. આ પટેલ બોલે છે. આત્મા બોલે છે. પટેલ એનો ધર્મ જ નથી. આત્મા છે ને? ચૂનાનો ધર્મ સફેદ છે. તે ભીંતનો ધર્મ નથી. અજમેરા ભાઈ ! આ ગણેશ પટેલ બોલે છે. આત્મા છે ને! એમાં શું? એમ આવે છે કે તીર્થકરના વજીર દિવાન છે ને એને શું કહેવાય? (ગણધર) ગણધર ગણ.. ધર. ગણમાં મોટા એ આ ગણેશ એટલે ગણધર.... ઈષ્ટ.... મોટા મોટા એ ગણધર છે. તીર્થંકરની બાજુમાં રહેનારા ગણધરો છે. એ પુરુષો કહે છે, કુંદકુંદ ભગવાન ફરમાવે છે કેઃ દિવ્ય ધ્વનિ પણ અમે સાંભળી, અને શ્રુતકેવળીઓ પાસે પણ અમે ચર્ચા કરીને આવ્યા છીએ. કેટલાક ખુલાસા ત્યાં કરીને અહીં આવ્યા છીએ. હવે એય બેસતું નથી. કેટલાકને એય બેસતું નથી. જાતિસ્મરણ પણ બેસતું નથી. બોલો? ગુરુદેવ જાતિસ્મરણની વાત કહું એ પણ બેસતું નથી, તો એ ગુરુદેવને માને છે કે નથી માનતા? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276