Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 267
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૭૩ એમાં આ પુરષ પાડ્યો; પુણ્ય-પાપનો આત્મામાં અભાવ છે. પુણ્ય-પાપનું લક્ષ છોડીને આત્માનું લક્ષ કર, તારું કામ થઈ જશે. પુણ્ય-પાપનું લક્ષ છોડવાનું કહ્યું, પુણ્યપાપ છોડવાનું ક્યાં કહ્યું છે, છૂટે છે એ ક્યાં ! એ તો આત્મા અપોહક જ છે. પહેલેથી પુણ્ય પાપથી રહિત જ બિરાજમાન છે. આત્મામાં આવ્યા છે જ ક્યાં કે પુણ્ય-પાપને છોડે ? ત્યાગ ઉપાદાન નામની એક શક્તિ છે તેથી એ રાગને ગ્રહણ કરતો નથી અને રાગને છોડતો પણ નથી. સ્વભાવથી જ આત્મા જણાઈ રહ્યો છે એમાં નયની કોઈ જરૂર નથી. આબાળગોપાળ સૌને સદાકાળ આત્મા અનુભવમાં આવી રહ્યો છે. અનુભવમાં એટલે જણાઈ રહ્યો છે. પ્રત્યક્ષ વેદનમાં નથી આવતો હજુ. જણાય છે. અનુભવનો અર્થ જણાઈ રહ્યો છે–પ્રતિભાસ થઈ રહ્યો છે. અરે ! આત્માનો પ્રતિભાસ થઈ રહ્યો છે. એનો આવિર્ભાવ કરને! પરના પ્રતિભાસને તિરોભાવ કરી નાખે ને! જે ભિન્ન છે એ તને જણાય છે, અને જે અભિન્ન છે એ તને જણાતું નથી. આ શું? આચાર્ય કહે છે એ આશ્ચર્ય છે. સદાકાળ સ્વભાવથી જ જ્ઞાન આત્માને જાણી રહ્યું છે, પણ વ્યવહારથી તો પરને જાણે છે ને? ભલે! નિશ્ચયથી તો તમારી વાત માની લઈએ. પણ અમારી વાત પણ થોડી તમે માનો. એમ વ્યવહારથી તો પરને જાણે છે ને? એમ આગમમાં પણ આવ્યું છે. અરે! પરનું જાણવું સ્વભાવમાં જ નથી. આહાહા! વ્યવહારનયે જાણે! પણ સ્વભાવમાં જ પરનું જાણવું નથી તો પછી જાણે ક્યાંથી ? રાગ જ્ઞાનમાં પ્રવેશતો જ નથી તો પછી જાણે ક્યાંથી? અને જ્ઞાનનું લક્ષ રાગ ઉપર છે જ નહીં તો જાણે ક્યાંથી ? જ્ઞાનનું લક્ષ જ્ઞાયક ઉપર જ રહે છે માટે એને જ્ઞાયક સિવાય બીજું કાંઈ જણાતું જ નથી. જેનું લક્ષ હોય એ જણાય, અને જેનું લક્ષ ન હોય તે જણાય નહીં. અજ્ઞાની કહે છે અમારું લક્ષ તો પર ઉપર છે, અમને રાગ જણાય છે. તો કરો મોજ બીજું શું? ચારગતિના ફેરાથી થાક્યો નથી હુજી? અરે! એક છ મહિના અભ્યાસ તો કર. સંતોની વાણી. અરે! વાત ઉત્કૃષ્ટ છે. વધારે માં વધારે છ મહિના તો પ્રમાદી માટે, બાકી પુરુષાર્થી માટે તો અંતર્મુહૂર્ત. પરનું જાણવું સવભાવમાં જ નથી. “જ્ઞાયક નથી ત્યમ્ પર તણો.” “જયમ સેટીકા નથી પર તણી, સેટીકા તો બસ સેટીકા,” ખડી તો ખડી જ છે. ખડી ભીંતને સફેદ કરતી નથી. ખડી ભીંતને સફેદ કરે? ખડી-ચૂનો ડબ્બામાં હતો અને ભીંત કાળી હતી. બે પદાર્થ ભિન્ન ભિન્ન Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276