Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 242
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૪૮ વિકલ્પો છૂટવા મંડે છે, અને વિધિના વિકલ્પનું બળ આવે છે. આહા! નિષેધનો પક્ષ છૂટતો જાય છે, ત્યારે એને દ્વેષ ઘટતો જાય છે, અને જાણનાર જણાય છે' નિશ્ચયના પક્ષમાં આવે ત્યારે અહીં શુભરાગ-રાગના પક્ષમાં આવ્યો. દ્વેષનો પક્ષ છૂટયો, પછી અનુભવ થયો ત્યારે રાગ-દ્વેષ બન્ને છૂટીને અનુભવ થાય છે. હજી પ્રમાણના પક્ષમાં ઉભો છે કે ભગવાને બે નય કહ્યા છે. એ સ્વાશ્રિત નિશ્ચયનય વડે તું વ્યવહારનો નિષેધ કરજે. દયા રાખીશ માં, ‘અદયં ’ પાઠ છે. જ્ઞાનની પર્યાય નિશ્ચયનયે આત્માને જાણે છે તેમાં વગર કહ્યે વ્યવહા૨નયે ૫૨ને જાણે છે એમાં આવી ગયું. અરે ! નિશ્ચયનયથી જ્ઞાન આત્માને નથી જાણતું બોલો, ૫૨ને જાણતું નથી એમાં તો વ્યવહારનયનો નિષેધ થયો. પણ નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણતું નથી એમાં નિશ્ચયનયનો નિષેધ આવ્યો. હાય ! હાય ! નિશ્ચયનયનો નિષેધ ? વ્યવહારનયનો નિષેધ તો બરોબર છે પણ નિશ્ચયનયનો નિષેધ એટલે નિશ્ચયનયના વિકલ્પનો નિષેધ છે. એના વિષયનો નિષેધ નથી. “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે. તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન એહ” 66 કઈ અપેક્ષાએ કહેવામાં આવે છે? શું પ્રયોજન અહીંયા સિદ્ધ કરવું છે, એ સમજવું જોઈએ. અહીંયા નયાતિક્રાંતનો વિષય ચાલે છે. અરે! નિશ્ચયથી જ્ઞાન આત્માને નથી જાણતું. નિશ્ચયે જ્ઞાન આત્માને ન જાણે ? તો શું વ્યવહારનયે જાણે ? એમ આપ કહેવા માગો છો? * તું સ્વભાવનું લક્ષ કરીને અને અનુભવ પહેલા તું સ્વભાવની અધિકતા કરીને સ્વભાવ ઉ૫૨ (દૃષ્ટિ દેતા ) સ્વભાવને જોતા, સ્વભાવને જોતા જોતા પર્યાયને જોઈશને, તો પર્યાયમાં રાગ લંબાતો નહીં દેખાય ! ઇન્દ્રિયજ્ઞાન લંબાતુ..... નહીં દેખાય, કેવળજ્ઞાન દેખાશે તને ને યથાખ્યાત ચારિત્ર દેખાશે, પર્યાયમાં અત્યારે હોં ! આહાહાહા....... એ પર્યાયનો સ્વભાવ છે. (જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન પેઈજ નં. ૯) 卐 Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276