Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 246
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૫૨ દુઃખને ભોગવે છે. ભગવાન આત્મા રાગને કરતો નથી અને દુઃખને ભોગવતો નથી. ત્યાં સુધી તો ઠીક, એ તો બરોબર છે. રાગને કરે તો દુ:ખને ભોગવે એ તો વ્યાજબી છે પણ હવે અતીન્દ્રિય આનંદને ભોગવતો નથી આત્મા. ઈ.... શું? આહા! ભાઈ ! અતીન્દ્રિય આનંદને કોણ ઉત્પન્ન કરે છે? પર્યાય એનો ઉત્પાદક છે, દ્રવ્ય એનો ઉત્પાદક નથી. કરે તે ભોગવે; માટે પર્યાય વીતરાગ ભાવને કરે છે અને એનું ફળ આનંદ એ પર્યાય જ ભોગવે છે. ત્રિકાળી સામાન્ય દ્રવ્ય નિષ્ક્રિય પરમાત્મા જે દષ્ટિનો વિષય છે; એ આનંદને ભોગવતો નથી. આહાહા! “આનંદ લહેંગે મગર જ્ઞાતા રહેંગે.” ભોક્તા નહીં થાઉ એમ. આ અંદરનું આવું છે. દ્રવ્ય-પર્યાયને એક વસ્તુ જ માને છે. અનંતકાળથી ઈ ભૂલ થઈ ગઈ. એનું સ્પષ્ટીકરણ ગુરુદેવે કર્યું છે. એનું સ્પષ્ટીકરણ વિસ્તાર પણ ઘણો કર્યો છે. સાધકો ઘણા થયા... એ સાધકો એ વાત કરી છે. મુનિરાજની વાત તો ક્યાં કરવી ! આહાહા ! એટલે ક્રિયાના કારકો પર્યાયમાં છે. ( દ્રવ્યને) ભૂલે તો રાગને કરે, અને ભૂલ ભાંગે તો વીતરાગભાવને કરે. રાગને કરે તો દુ:ખને ભોગવે, વીતરાગભાવને કરે તો આનંદને ભોગવે. એ કર્તાપણા અને ભોક્તાપણાનો ધર્મ પર્યાયમાં છે. દ્રવ્યમાં પર્યાયના કારક નથી. એટલે પર્યાય કરે ને ભોગવે એ ત્રિકાળી દ્રવ્યનો સ્વભાવ નથી. જો આનંદને ભોગવે એમ કદાચિત્ માની લ્યો કે મોક્ષમાં તો આનંદને ભોગવે ને! સમજી ગયા. એમાં (એવું) લોજીક છે કે જ્યારે સમ્યગ્દર્શન પ્રગટ થાય ત્યારે તો આનંદને ભોગવે આત્મા, તો સમ્યગ્દર્શન પહેલાં એને શું હતું? “દુઃખ'. તો આત્મા દુઃખને ભોગવે છે એમ આવી જશે, ખ્યાલ આવ્યો? જો વર્તમાન પર્યાયમાં આનંદને આત્મા ભોગવે છે તો સર્વ પર્યાયમાં ભોગવે છે એ આવી ગયું કહ્યા વગર. કેમ કે વ્યયપૂર્વક ઉત્પાદ થાય છે. દુ:ખનો વ્યય થયો અને અતીન્દ્રિય સુખનો ઉત્પાદ થયો. સાહેબ! આત્મા સુખને નથી ભોગવતો એ રહેવા દ્યો. કાંઈક તો રહેવા દ્યો! દુઃખને ભોગવતો નથી એ બરોબર પણ સુખને ભોગવતો નથી એ બરોબર નથી. આત્મા આનંદને નથી ભોગવતો? આનંદ (પ્રગટ) કરવા માટે તો આ કરીએ છીએ. આહાહા! એ આનંદને નથી ભોગવતો એમ જ્યારે વિશ્વાસ આવશે ત્યારે જ આનંદ પ્રગટ થશે, અને પર્યાય આનંદને ભોગવશે, ભોગવશે ને ભોગવશે. એમ જ્ઞાન જાણશે કે પર્યાય ભોગવે છે, હું ભોગવતો નથી. આહાહા ! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276