Book Title: Dharmnu Rahasya
Author(s): Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ ચિંતામાં સડો છો ? જેમ વ્યવહારમાં તમે અમુક અમુકના વચનને આધીન થયા છો, તેમ તમે ધર્મની બાબતમાં નથી. તેથી તમને તેવા કરવા માટે જ્ઞાનીઓનો પ્રયત્ન છે. “ધર્મ એનું જ નામ છે કે યોગ્ય આત્માની સલાહ મુજબ ચાલવું.” દરદીને નીરોગી થવાની ઇચ્છા છે, એમ ત્યારે જ મનાય કે જ્યારે નીરોગી કરનાર વ્યક્તિના વચન પર તેની નિર્ભરતા હોય. ડૉક્ટરોની સલાહ મુજબ ચાલ્યા, એણે સુવાડ્યા તેમ સૂતા, બેસાડ્યા તેમ બેઠા, એના વચન ખાતર સારી પણ વસ્તુ ખાવાનો ત્યાગ કર્યો, છતી ભોગસામગ્રી ન ભોગવી, હજારો ને લાખો આપીને પણ વારંવાર આજ્ઞા માની, તે છતાં આ શરીરાદિ વસ્તુ રાખી રહેવાની નથી. એમ તમારી ખાતરી છે ને ? અને નથી રહેવાની, તો એને છોડીને કોઈ જગ્યાએ જવાનું છે, એ નક્કી છે ને ? તેમજ જે જવાનું છે તો સારી જગ્યાએ જવાની સલાહ આપનારને મેળવવાની ચિંતા તમારા દ્ધયમાં લાગી છે કે કેમ એ મારો પ્રશ્ન છે. “અમે ધર્મ કરીએ છીએ' –એ કાંઈ ઉત્તર નથી. જે રીતે નાશવંત વસ્તુઓ માટે યોગ્યની સલાહ લેવા દોડી જાઓ છો, પૈસા આપીને સલાહ માંગો છો, એને પ્રેમપૂર્વક–બહુમાનપૂર્વક સાંભળો છો, એની બધી આજ્ઞા સ્વીકારવાની કબૂલાત આપો છો, એવી જાતની ધર્મની બાબતમાં યોગ્યની સલાહ લેવા, યોગ્ય સ્થાને દોડી ગયાનો દાખલો છે ? નથી. અમને ધર્મ આપો, અમને ધર્મી કહો, પણ શી રીતે ? જ્યાં સુધી તમને આ બધા પદાર્થો મૂકવાના છે એવો નિર્ણય ન થાય, અહીંથી ગયા પછી સારી જગ્યાએ જવા માટે કોની આજ્ઞા માનવી–એની ચિંતા તમારા ધ્ધયમાં પેદા ન થાય, ત્યાં સુધી ધર્મ આપવો શી રીતે ? સભા અનીતિ ન કરવી, નીતિથી ચાલવું, એ ધર્મ નહિ ? આ ભવમાંથી પરભવમાં જવું છે અને જવા માટે અનીતિ નુકસાનકારક છે, નીતિ લાભદાયી છે, અનીતિથી પરભવ બગડે છે, નીતિથી સુધરે છે, માટે અવસર આવ્યું બધું જાઓ પણ નીતિ ન જાઓ ! -એ બુદ્ધિ કેટલાની છે ? કેવળ દુનિયામાં નીતિમાન મનાવવાના આડંબર ખાતર પાળેલી નીતિ, એ વસ્તુતઃ ધર્મ નથી. પરલોકની ભીતિથી જો એ પળાતી હોય તો ધર્મનું રહસ્ય હૃયમાં આવી ગયું છે, પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28