Book Title: Dalsukhbhai Malvaniya Pandit
Author(s): Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar
Publisher: Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar

View full book text
Previous | Next

Page 12
________________ જેમ લખ્યું છે : પ્રિય પત્ની મયુર જરી , જિદને ક્રિયા કુછ નહીં, વિદ્યા દ ડ્યિા હૈ દલસુખભાઈને સંતાનમાં માત્ર એક પુત્ર-ભાઈ રમેશ-જ છે. બારેક વર્ષ પહેલાં એનાં લગ્ન થયાં છે. પુત્રવધૂ ચારુલતા શાણી, સમજુ અને દલસુખભાઈ પ્રત્યે ખૂબ ભક્તિશીલ છે. અને હવે તો દલસુખભાઈ હસતાં. ખેલતાં અને ઘરને કિલ્લેલભર્યું બનાવતાં બે પૌત્રે અને બે પૌત્રીઓના દાદા પણ બન્યા છે. પોતાના ભાઈઓ, બહેન તથા અન્ય કુટુંબીજનો પ્રત્યે તેઓ એક શિરછત્ર વડલાના જેવું વાત્સલ્ય ધરાવે છે; અને સહજભાવે સૌના સુખદુખના સાથી બને છે. પંડિત સુખલાલજી સાથે બનારસમાં જન પ્રકાશ” ના રૂા. ૪૦ ઉપરાંત બે ટયૂશનો કરીને બીજા ૪૦ રૂપિયા તેઓ રળી લેતા. સેંઘવારીના એ સમયમાં આટલી કમાણ સારી ગણાતી. પણ અહીં મોટે ભાગે એમને કારકુનીનું કામ કરવું પડતું, અને વિદ્યાપ્રવૃત્તિ કરવાને ખાસ કોઈ અવસર ન મળતો. અને શિક્ષક તરીકેનું કામ કરવાથી કે “જન પ્રકાશ” માટે એકાદ લેખ લખવાથી એમના વિદ્યારંગી ચિત્તને સંતોષ વળે એમ ન હતું. એટલે એમનું મન વિદ્યાવૃદ્ધિ તરફ દોરી જાય એવી કોઈ મનગમતી પ્રવૃત્તિઓ માટે ઝંખ્યા કરતું હતું. દિલની અદમ્ય અને નિર્મળ ઝંખનાને ક્યારેક તે સફળતાને ઉપાય મળી આવે છે. દલસુખભાઈને આ માટે વધારે રાહ જોવી ના પડી. મુંબઈમાં, સને ૧૯૩૪ના ડિસેમ્બરમાં, એમને પૂજ્ય પંડિત શ્રી સુખલાલજીને વિશેષ પરિચય થયો. પંડિતજીએ એમનું હીર પારખી લીધું. પંડિતજી એ વખતે બનારસ હિંદુ યુનિવર્સિટીની ઓરિયેન્ટલ કોલેજમાં જન તાંબર મૂર્તિપૂજક કોન્ફરન્સ સ્થાપેલ જન ચેરના અધ્યાપક હતા. એમણે દલસુખભાઈને પિતાના વાચક તરીકે બનારસ આવવા કહ્યું. પગાર માસિક રૂ. ૩૫. [૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50