Book Title: Dalsukhbhai Malvaniya Pandit
Author(s): Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar
Publisher: Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar

View full book text
Previous | Next

Page 16
________________ પછી સાયટીના કામ અંગે એમની અને શેઠશ્રી કસ્તુરભાઈ વચ્ચે જે પત્રવ્યવહાર થયા એને લીધે શ્રી કસ્તુરભાઈ શેઠના મન ઉપર, શ્રી દલસુખભાઈની વિદ્વત્તા, નિષ્ઠા અને કાર્યદક્ષતા સંબંધમાં, કંઈક એવી છાપ પડી કે એમણે શ્રી દલસુખભાઈને એમની આ નવી સંસ્થાનું ડિરેકટર પદ સભાળવા સૂચવ્યું. દલસુખભાઈએ એ સૂચના સ્વીકાર કર્યાં અને સને ૧૯૫૯ના ડિસેમ્બરમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ડિરેકટર બનીને તેઓ અમદાવાદ આવ્યા. બનારસ જેટલે દૂરથી અમારી વચ્ચે જ તેઓ આવીને વસ્યા તેથી અમને અપાર આનંદ થયા. મને તે! એમનુ આગમન પ્રભુની મોટી મહેર જેવુ લાગ્યું. સને ૧૯૭૬ સુધી, છેલ્લાં સત્તર વર્ષ દરમયાન સતત કામ કરીને દલસુખભાઇએ વિદ્યામંદિરની પ્રતિષ્ઠા ખૂબ વધારી અને વિદ્વાનોની પુષ્કળ સહાનુભૂતિ પણ મેળવી, એટલું જ નહીં, એની નામનાતા પરદેશ સુધી વિસ્તાર કર્યાં. તેથી આ વિદ્યાતીને લાભ લેવા. પરદેશના વિદ્વાને પણ અવારનવાર આવતા રહે છે. આમ થવામાં જેમ સંસ્થામાં એકત્રિત થયેલ સામગ્રીનેા તેમ શ્રી દલસુખ ભાઈની નિર્ભેળ અને સૌજન્યપૂર્ણ વિદ્વત્તાના પણ મહત્ત્વને ફાળે છે. ઉપરાંત, આવી મેાટી સંસ્થાને સફળ વહીવટ કરવાની એમની કુશળતાને પરિચય પણ સૌને મળી રહ્યો. સને ૧૯૭૬ની સાલમાં, વયમર્યાદાના કાયદાને કારણે, સંસ્થાના સંચાલકાતે, પોતાની ઇચ્છા ન હોવા છતાં, શ્રી દલસુખભાઈ તે વિદ્યામંદિરના અધ્યક્ષ પદેથી (ડિરેકટર તરીકેના હૈ।દ્દા ઉપરથી) નિવૃત્ત કરવાની ફરજ પડી; પણ આ રીતે છૂટા કર્યા પછી પણ સંસ્થાના કાર્યવાહકોએ સંસ્થાના સલાહકાર તરીકે શ્રી લસુખભાઈની સેવાઓ લેવાનું ચાલુ રાખ્યું, એ બીના પણ શ્રી દલસુખભાઈની નિષ્ઠા, કાર્યકુશળતા અને નિરભિમાન વિદ્વત્તાની કીર્તિગાથા બની રહે એવી છે. Jain Education International For Private & Personal Use Only [ ૧૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50