Book Title: Buddhiprabha 1961 04 SrNo 18 Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat View full book textPage 4
________________ ચિંતન કણિકાઓ. તારે જિંદગીને ધુમાડા જ કરે છે ને? ભલે કર. પણ મારેટના ધુમાડા- માફક નહિં. કોઈ ધૂપસળીની જેમ એને ધુમાડો કર...... દેવ ! તારી સરમુખત્યારશાહી માટે શું કહું? મેં તે સંયમને હાથ મા હતે. આ વાસનાને કયાંથી વળગાડી દીધી ? અને હવે કહે છે બેયને પાત્ર છે ? દેવ જરા તે સમજ કે હું માનવું છું. તારા જે દેવ નથી........ “ આ તે કેવી જિંદગી છે ? ” એ ફરીયાદ કરતે હતે“ભલા ભગવાન ! આવું જવાબદાર જીવન આપવું જ હતું તે પહેલાં મને પૂછવું તે હતું ને ? ” મેં કહ્યું-“ ભલે એ તને ન પૂછયું, થઈ ગયાને અફસેસ છે પણ હવે એ તને કયાં કે છે ? તને મન ફાવે તેમ હવે જીવી લે. જીવન હવે તારું જ છે. ”..... અદમ્ય શાંતિ ને સમતાની પ્રસવ વેદનામાંથી ક્ષમા જન્મે છે. સહનશીલતા એ તે ક્ષમાની મા છે...... તપ એ તે આંતશત્રુઓ સાથે કરેલી સ્વેચ્છાપૂર્વકની સંધિ છે. બકરે કસાઈને કહી રહ્યો હતે ? “ માલિક મારા ! મારા મોતથી તારું જીવન સુખી થતું હોય તે જરૂર આ ગરદન પર છરી ફેરવી દે. હું એક શબ્દ પણ નહિ બોલું. પણ તું આ રોજ મારે છે અને જીવાડે છે એ સહન નથી થતુંકે તે એક અટકે ખત્મ કર, કાં તે મને શાંતિથી જીવવા દે.” દેવ માર ! આપે તે એક વખતનું મત આપજે, રોજ રોજ આમ જીવતું મેતા ન આપીશ.” દેવ ! મને તારી કૃપાની પડી નથી. હું સાધક છું. ભિખારી નથી કે તારી દવાની ભીખ માગું. હું મારી સાધના પર મુસ્તાક છું અને મને શ્રદ્ધા છે એક દિવસ હું જાતે જ મારાં બારણા ખખડાવીશ.”Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31