________________
ચિંતન કણિકાઓ. તારે જિંદગીને ધુમાડા જ કરે છે ને? ભલે કર. પણ મારેટના ધુમાડા- માફક નહિં. કોઈ ધૂપસળીની જેમ એને ધુમાડો કર......
દેવ ! તારી સરમુખત્યારશાહી માટે શું કહું? મેં તે સંયમને હાથ મા હતે. આ વાસનાને કયાંથી વળગાડી દીધી ?
અને હવે કહે છે બેયને પાત્ર છે ? દેવ જરા તે સમજ કે હું માનવું છું. તારા જે દેવ નથી........
“ આ તે કેવી જિંદગી છે ? ” એ ફરીયાદ કરતે હતે“ભલા ભગવાન ! આવું જવાબદાર જીવન આપવું જ હતું તે પહેલાં મને પૂછવું તે હતું ને ? ”
મેં કહ્યું-“ ભલે એ તને ન પૂછયું, થઈ ગયાને અફસેસ છે પણ હવે એ તને કયાં કે છે ? તને મન ફાવે તેમ હવે જીવી લે. જીવન હવે તારું જ છે. ”.....
અદમ્ય શાંતિ ને સમતાની પ્રસવ વેદનામાંથી ક્ષમા જન્મે છે. સહનશીલતા એ તે ક્ષમાની મા છે......
તપ એ તે આંતશત્રુઓ સાથે કરેલી સ્વેચ્છાપૂર્વકની સંધિ છે. બકરે કસાઈને કહી રહ્યો હતે ?
“ માલિક મારા ! મારા મોતથી તારું જીવન સુખી થતું હોય તે જરૂર આ ગરદન પર છરી ફેરવી દે. હું એક શબ્દ પણ નહિ બોલું. પણ તું આ રોજ મારે છે અને જીવાડે છે એ સહન નથી થતુંકે તે એક અટકે ખત્મ કર, કાં તે મને શાંતિથી જીવવા દે.”
દેવ માર ! આપે તે એક વખતનું મત આપજે, રોજ રોજ આમ જીવતું મેતા ન આપીશ.”
દેવ ! મને તારી કૃપાની પડી નથી. હું સાધક છું. ભિખારી નથી કે તારી દવાની ભીખ માગું. હું મારી સાધના પર મુસ્તાક છું અને મને શ્રદ્ધા છે એક દિવસ હું જાતે જ મારાં બારણા ખખડાવીશ.”