Book Title: Buddhiprabha 1915 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ વાંચન, ૨૩૧ વેપારી વર્ગમાં ધનવાનની સખ્યા વિશેષ એવામાં આવે છે. એટલે અંશે આપણે મગરૂર થઇશું. તેઓ ધન સ`પત્તિ મેળવી તેને યોગ્ય અવસરે ધર્મકાર્યમાં વ્યય કરે છે, અને જૈન દર્શનની પ્રભાવનાના કાર્યોના પ્રસંગે તેમની સાહાયતા માગવામાં આવે છે, તા તેઓ શ્ર્વાસપૂર્વક આપે છે પણુ તેટલાથી જૈન તરીકેનું તેમનું કર્તવ્ય પૂરું થાય છે. એમ માની લેવાનું નથી. નવીત ઉછરતી પ્રજા વ્યવહારિક અને ધાર્મિક ઉંચ પ્રતિની કેળવણી મેળવે એવા પ્રકારની સંસ્થાએ .આપણામાં ધણી નીકળવાની જરૂર છે, તેની સાથે કેળવણી લેનારાએની સવા સચવાય અને તેમનામાં આગળ વધવાના ઉત્સાહ પ્રગટે એવી ગાઠવષ્ણુ થવાની જરૂર છે. જે ધંધે લાગેલા છે, તેએાનામાં વાંચનના શોખ વધે એવી તજવીજ થવાની ખાસ આવસ્યકતા છે. આપણામાં કેટલીક સંસ્થા તરથી પુસ્તકો પ્રસિદ્ધ કરવાનું કામ ઉત્સાહપૂર્વક ચાલે છે, તેમજ માસિક અને અઠવાડીક પત્રા નીકળે છે. પણ વસ્તીના પ્રમાણમાં જોઇએ તેટલે તેને ઉઠાવ થતો નથી. તેનું કારણ સ્નેપશું તે વાંચનને! શાખ ડે જેવા છે. પુરૂષવર્ગમાં વાંચનના શોખ નથી તેા પછી સ્ત્રીવર્ગને માટે તા કહેવુંજ શુ ? નિશાળેથી ી ધધે લાગ્યા એટલે તરી પાર ઉતર્યા, અને હવે ધંધા સિવાય બીજું કર્ષ કરવાનુ નથી. આવા પ્રકારના વિચારો આપણામાં દાખલ થઇ ગયા છે. તે કેટલે દરજ્જે નુકસાન કોં છે તે વિચારીએ. ૧. જે ધંધા આપણે કરતા હુએ, તે વધારે સારી રીતે કરવા સારૂ તેનું યથાર્થ સ્વરૂપ સમજવા તેમજ તે ધંધા સરળ રીતે કરી શકાય તે માટે તે ધંધાને લગતું જે જે સાહિત્ય બહાર પડેલ હોય તે જણવાની આવશ્યકતા છે. ૨. જે જે સ્થળાએ જે જાતના ધંધા કરનારા રહેતા હોય, તે ગામ કે નજીકના ગામ સિવાય દેશના કયા ક્યા ભાગમાં તેવા પ્રકારના ધધા ચાલે છે, અને તેમના કરતાં આપણે સારી રીતે ધંધા કરવાને માટે કયા ગુણાની આવસ્યકતા છે, આના જાણુપાતી ખામીને લીધેજ ધંધામાં જેટલે દરજ્જે બરકત આવવી નેસએ તેટલી આવતી નથી. એટલુંજ નહિ પણુ ઉલટા ખાટના ખાડામાં આવી જતા આપણે જેઈએ છીએ. ૩, જે ધંધો કરતા હુઇએ તે ધંધા સારી રીતે ચલાવવાને સારૂ થોડા ઘણા પશુ ખર્ચ કરવાનું શીખવું જોખએ. તે પ્રાયે આપણુ વેપારી વર્ગમાં નથી. તા તા ફક્ત સંગ્રહ કરવાનુંજ જાણે છે. આ પણ એ જાતની ભૂલ છે. આ ભૂલના પરિણામે જોઇએ તેટલા નફા તે મેળવી શકતા નથી. આ ભૂલ સુધારવાના રસ્તા ધંધા સબંધી પુસ્તકો, માસિક્ર કે અઠવાડિક પત્રોના વાંચનના અભાવ એ છે. ૪. ધંધા નીતિ અને પ્રમાણિકપણાથી કરવાને સારૂં તેવા પ્રકારનું વાંચન પણ થવું જોઇએ, કેમકે તેવા નવીન નવીન વાંચન સિવાય નિશાળમાં શીખેલુ છેવટ સુધી મગજમાં કાયમ રહે છે કે કેમ એ એક વિચાર કરવા જેવી વાત છે.વધાર્થી માણસ વેપાર ધંધામાં ગમે તેવા કુશળ હશે પણ તેનામાં નીતિની બાબતમાં ખામી હશે તે તે હંમેશ સારી રીતે ધંધા ચલાવી શકશે કે કેમ? એ વિચાર કરવા જેવી વાત છે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34