Book Title: Buddhiprabha 1911 03 SrNo 12 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 3
________________ બુદ્ધિપ્રભા. (The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहयोतकम् ।। सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गानवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिसभा' मासिकम् ॥ વર્ષ ૨ જુ. તા. ૧૫ મી માર્ચ, સન ૧૯૧૧ અંક ૧૨ મે, अमारा भक्त गणवाना. કવાલી, અમારૂ દીલ નહી જાણે, અમારા ભક્ત તે શાના? અમારા દીલના આશય, ગ્રહે તે ભક્ત ગણવાના. ઘણા આશય અપેક્ષાથી, વંદું તે સર્વ જે જાણે જણાવે અન્યને જાણ્યું, અમારા ભક્ત ગણવાના. અપેક્ષાઓ ઘણી ઉંડી. અમારા બોલમાં જ્યાં ત્યાં પરીક્ષાની કટીમાં, અમારા ભક્ત ગણવાના. ઘણા છે ભક્તના ભેદે, બને છે ભક્તિથી ભક્ત; રગેરગમાં વસેલાઓ, અમારા ભક્ત ગણવાના. હદયના આશય સર્વે, કહ્યા વણ જ્ઞાનથી ખેંચે; નથી કીતિ તણી ઈચ્છા, અમારા ભક્ત ગણવાના.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 44