Book Title: Bhagavatno Sandesh
Author(s): Bhanuvijay
Publisher: Sarvamangalam Ashram Sagodiya

View full book text
Previous | Next

Page 178
________________ ભાગવતતો સંદેશ (૧૫) કાબૂ રાખવો જોઇએ અને રથના સારથી મન ઉપર પણ કાબૂ રાખવો જોઇએ. સદ્ગુરુ શરણ લઈ તપ કરતા રહો આ સાધનો (ઘોડાઓ-ઇંદ્રિયો) અનેક રીતે વપરાય છે તેથી તે અશકતા થયાં છે. એવી સ્થિતિમાં તમારે-માણસે-સાધના કરવાની છે. સ્થિતિ આવી છે તે જાણો પણ નિરાશ ન થાવ. છતાં જાણી લ્યો કે તમે સંસારના મોહ અને આસક્તિ રૂપી મદિરા પીને રથમાં આરૂઢ થયેલા છો. માટે તમારે તમારા ઘોડાને દૂરસ્ત કરવા પડે લગામ સુધારવી પડે. મોહ-આસક્તિ છોડવા પડે. પહેલાં તમે એકલા હતા ત્યારે જાત પ્રત્યે મોહ હતો. પરણ્યા પછી પત્ની પ્રત્યે પણ મોહ થયો. પછી બાળક થયું તો ત્રણે પ્રત્યે મોહ થયો આમ મોહનો વિસ્તાર વધતો ગયો. જો તમને યુવાનીમાં જ જ્ઞાની પુરુષ મળે, તમને તેમના પ્રત્યે ભાવ થાય અને તમે સાધનાના માર્ગે વળો તો ઉત્તમ. પણ તેમ ન થયું તો નિરાશ થયા વિના શરીરને નિરોગી-તંદુરસ્ત બનાવી મન ઉપર સંયમ કરશે. આ કામ તપથી થઈ શકશે. ગુરુ બોધ દ્વારા તમે તે જાણી શકશો. માટે આત્મજ્ઞાની સદ્ગુરુ ચરણની સતત સેવા કરતા રહી જ્ઞાન તલવારને સજજ કરતા રહો. સાથે ભગવદ્ દઢ આશ્રય કરતા રહો. એમ કરશો તો ધીરે ધીરે સુધારો થતો રહેશે. ભગવદ્ આધાર લઈ વિકારો કાઢો ભગવદ્ આધાર લઈ રાગ, દ્વેષ, મોહ, લોભ, ભય, માયા, હિંસા, ઈર્ષાને કાઢવાનાં છે. માણસને સવારે અહમ્, બપોરે ક્રોધ, સાંજે લોભ, રાત્રે કામ એ શત્રુઓ પીડે છે. તેને જ્ઞાન તલવારથી કાઢવાનાં છે. એ માટે પ્રથમ આશ્રય સશ્નો અને મૂળ આધાર પરમાત્માનો છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: ‘અર્જુન, તું મારું સ્મરણ કરતાં કરતાં યુદ્ધ કર.” આ આધારો લઈ તમારા રથમાં બિરાજમાન થાવ જે તમારું સિંહાસન છે. એમ કરશો તો શાંતિ પામશો. મરતા પહેલાં મરો આવા શાંત ભાવમાં રહી અંદરની વૃત્તિ, વાસના અને વિકારોને શાંત કરતા રહો. તેથી તમારા શરીર, મન, બુદ્ધિ શાંત થશે. આ પ્રાપ્ત કરીને તમે જીવન જીવશો તો જેમ સાપ કાંચળી છોડીને પછી પાછું વળીને જોતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224