Book Title: Bhagavatno Sandesh
Author(s): Bhanuvijay
Publisher: Sarvamangalam Ashram Sagodiya

View full book text
Previous | Next

Page 204
________________ (૫૪) આજ્ઞા પાળે તે કૃપા પામે સંતો નિરપેક્ષ હોય છે માયાને વશ કરવી અઘરી છે તેવું સંતો કહે છે, જગત કહે છે, પણ એને જીતવાની રીત જાણવા માટે પરબ્રહ્મના અનુભવી સંતનું શરણ જરૂરી છે. સંતને સત્પાત્ર શિષ્ય શોધવાની બહુ મહેનત નહિ ઉઠાવવી પડે, કારણ જેવા સંત પોતે જ સત્ શિષ્યને શોધતા આવે છે. સાત વર્ષના એક બાળકને સંત દાદુએ જોયો. બાળકની માને સંતે કહ્યું: “મા, આ બાળક મારો છે, મને આપી દે.’ માએ બાળક આપી દીધો. દાદુ પાસે એ બાળક વિખ્યાત સંત થયો. સત્પરુષ એમની પાસે રહેલું અમૃત, પાત્ર વ્યક્તિને આપવા ઇચ્છે છે. સંત અમૃત પીએ છે અને જગતને પાય છે. બદલાની અપેક્ષા વિના જગતને એ સતત આપતા રહે છે. સંત નિરપેક્ષ છે. પરમ શાંત એવા સંતને વૃત્તિ પજવતી નથી. સંતોએ જો એમની પાસેનું અમૃત આપણને પાયું ન હોત તો આત્મા-પરમાત્માની વાત કોણ સમજાવત? વેદાંતનો શ્રોત્રિય’ એટલે ધર્મશાસ્ત્રનો જ્ઞાતા અને બ્રહ્મ નિષ્ટ એટલે બ્રહ્મને જાણી તેનામય રહેનાર. પોતાને બ્રહ્મનો અનુભવ હોવા છતાં, શાસ્ત્રજ્ઞ હોવા છતાં સંતો જ્યારે મુમુક્ષુ શ્રોતાઓને કહે છે ત્યારે પોતે કહે છે તેવું નથી કહેતા પણ આ ગ્રંથમાં આમ કહ્યું છે, ભગવાન મહાવીરે આમ કહ્યું છે, આ સંત આમ કહેતા હતા એવું કહે છે. સુધર્માસ્વામીજખ્ખસ્વામીને કહે છે ભગવાન મહાવીર પાસેથી અમે જે સાંભળ્યું છે તે તમને કહીએ છીએ. આવી જ વાત રામાયણ અને મહાભારતમાં છે. જ્ઞાની સંતો આવા સરળ અને નિરપેક્ષ હોય છે. શબ્દની મર્યાદા છે. ગંગો માણસ ગોળ ખાય તેનો સ્વાદ માણે પણ તેનું વર્ણન ન કરી શકે. એવી જ રીત પરબ્રહ્મ પરમાત્મામાં જેઓ ઠર્યા છે. તેઓ શબ્દોમાં તેમની અનુભવની સ્થિતિનું વર્ણન નથી કરી શકતા. એમણે જે પ્રાપ્ત કર્યું છે તેને વર્ણવવા શબ્દો ટૂંકા પડે છે. જેને કિંમતી હીરો જડે છે તે કોઈને બતાવતો નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224