Book Title: Bhagavatno Sandesh
Author(s): Bhanuvijay
Publisher: Sarvamangalam Ashram Sagodiya

View full book text
Previous | Next

Page 203
________________ (૨૦૦) ભાગવતો સંદેશ દંભ કે ભેદભાવ આવશે તો શિષ્યની સાધનામાં અવરોધ આવશે. માટે શિષ્ય સરળ બનવું પોતાની બુદ્ધિને પણ સરળ બનાવવી. જે શિષ્ય આમ કરે છે તેના ઉપર પરમાત્મા જલ્દીથી પ્રસન્નતા વ્યક્ત કરે છે, કબીરજી કહે છે : સંત મળે તો સાહેબ જરૂર મળે, પણ દંભ હશે તો નહિ મળે.’ પરમાત્મા સંપર્કની આ અદ્ભુત રીત છે. દુઃખી ન થાવ ભક્તો ઉપર ભગવાન સતત કૃપા વરસાવતા રહે છે. કેમ કે તેમને સંતો અને ભક્તો બહુ જ વહાલા છે. માટે બાળક જેવી સરળતા ધારણ કરીને જ જીવનનાં બધાં કાર્યો પરમાત્માનાં ગણીને કરો. શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ કહ્યું છે. પરમાત્માને પીડાન આપો.” આવું કેવી રીતે કરશો? જો તમે દુઃખી થશો તો પરમાત્માને પીડા થશે. માટે સરળ બની પ્રસન્નતા મેળવો. મનને જગતમાંથી ખેંચી પરમાત્મા સાથે જોડો ધ્યાન વડે પરમાત્મા મળે છે માટે જેને અધ્યાત્મનો આરંભ કરવો છે તેણે બધી જગ્યાએથી મનને પૂર્ણપણે ખેંચી લેવું, અનાસક્ત બનવું. તમને શામાં શામાં આસક્તિ છે તેની નોંધ કરશો તો બહુ લાંબી યાદી બનશે. આ મન પહેલેથી જ વસ્તુ, વ્યક્તિ અને સંયોગોમાં આસક્ત છે. આવા ભંગાર અને મલિન મનને પરમાત્માભિમુખ બનાવવા, સંત અને મુમુક્ષુઓ ઉપર અત્યંત પ્રેમ રાખો. આમ પણ આ બંને પાત્રો પ્રેમ કરવા જેવો જ છે. ચેતનાને પ્રભુમાં ડૂબેલી રાખવી તેમ કરવાની આંનદ પ્રાપ્ત થશે. જેમ દીવીમાં રહેલા ઘીમાં વાટ ડૂબલી રહે છે તો પ્રકાર આપે છે, પણ ઘી બળીને વાટ ઉપર રહે કે વાટને કાઢી લ્યો પછી પ્રકાશ મળતો નથી. એજ રીતે પ્રભુમાં ચેતનાને ડૂબલી રાખીને કાર્ય કરવું. પરિણતિની કોમળતા એ તો આ જીવનની અણમોલ મૂડી છે. મુનિ શ્રી ભાનુવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224