Book Title: Bhagavatno Sandesh
Author(s): Bhanuvijay
Publisher: Sarvamangalam Ashram Sagodiya

View full book text
Previous | Next

Page 183
________________ (૪૮) સકળ સુખ હરશરણમાં સકળ સુખ હરિશરણમાં રાજા નમિએ નવ મહાત્માઓને મૂકીને, પ્રણામ કરીને કહ્યું જો આપ મને અધિકારી, લાયક ગણતા હો તો ભાગવત ધર્મ વિશે અને તેના સિદ્ધાંતો કહો.” કવિ એટલે કાવ્ય રચનાર નહિ પણ આત્મજ્ઞાની, એવા સંતનેમહાત્માઓને સાંભળવા દરબારમાં બેઠેલા પંડિતો પણ ઉત્સુક હતા. સંત કવિ બોલ્યા “રાજન, તમે ઘણો સુંદર પ્રશ્ન અમારી સામે મૂક્યો. ભાગવત ધર્મનું પહેલું સૂત્ર છે. “અનન્ય શરણાગતિ.આ શબ્દ સહેલો જણાય છે પણ અંદરથી અહમ્ જાય તો જ તે સુગમ છે. નશ્વર એવા સાંસારિક સંબંધોમાં મારાપણું હોય તે મમત્વ છે. નરસિંહ મહેતા કહે છે : “સકળ સુખ મારા હરિ શરણમાં.' જે કરો તે પ્રભુને અર્પણ સંસારના ભોગોમાં સુખ બુદ્ધિ હોય અને એ સુખમાં જ આત્મબુદ્ધિ હોય તેવા માણસો પણ જો ભગવાનના શરણે જાય તો તેમનું અજ્ઞાન નાશ પામે છે. અને હું જેને સુખ માનું છું તે સાચું સુખ નથી એ સમજ આવે છે. તે થતાં જ તેની આસક્તિ તૂટે છે, તૃષ્ણા વિદાય લે છે અને આધ્યાત્મિક પ્રસન્નતા તેનામાં આવે છે. અને પછી તો એ પોતાના શરીર અને મનથી જે કંઈ કામ કરે છે તે પરમાત્માને અર્પણ કરે છે. પોતાનું જે છે તે ભગવનું છે, પરમાત્માનું છે. પૂજાકરી પરમાત્માને અર્પણ, જપ ર્યા પ્રભુને અર્પણ, તપ કે દાન કર્યા તે પરમાત્માને અર્પણ એવો ભાવ આવે અને તે અમલમાં મૂકાય તે પરમાત્માને સમર્પણ છે. સદ્ગુરુ સંગે બુદ્ધિ શુદ્ધ થાય ભાગવત સંવાદિતા ધરાવતો ગ્રંથ છે. સહેતુક મહાપુરુષો એક સાથે એક જગ્યાએ એકઠા થાય ત્યારે જે વાર્તાલાપ થાય તેમાંથી શાસ્ત્ર સર્જાય છે. અર્જુનભગવાન શ્રીકૃષ્ણ સંવાદમાંથી ભગવદ્ ગીતા રચાઈ. ભગવાન મહાવીર-ગૌતમ સ્વામીના સંવાદમાંથી ભગવતી સૂત્ર રચાયું. અને ભગવાન બુદ્ધ-આનંદના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224