Book Title: Balbodh Pathmalal 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 14
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-એમને પંચ પરમેષ્ઠી કહે છે, અરહંતાદિક પરમ પદ છે અને જે પરમ પદમાં સ્થિત હોય તેમને પરમેષ્ઠી કહે છે. પાંચ પ્રકારના હોવાથી તેમને પંચ પરમેષ્ઠી કહે છે. અરહંત જે ગૃહસ્થપણું ત્યાગી, મુનિધર્મ અંગીકાર કરી, નિજ સ્વભાવ સાધન વડ, ચાર ઘાતિ કર્મોનો ક્ષય કરીને અનંત ચતુષ્ટય (અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંતવીર્ય) રૂપ બિરાજમાન થયા તે અરહંત અરહંત પરમેષ્ઠી શાસ્ત્રોમાં અરહંતના ૪૬ ગુણો (વિશેષણો) નું વર્ણન છે, તેમાંથી કેટલાંક વિશેષણો તો શરીર સાથે સંબંધ રાખે છે અને કેટલાંક આત્મા સાથે. ૪૬ (છંતાળીસ) ગુણોમાં ૧૦ તો જન્મના અતિશય છે, જે શરીર સાથે સંબંધ રાખે છે. ૧૦ કેવળજ્ઞાનના અતિશય છે, તે પણ બાહ્ય પુણ્યસામગ્રી સાથે સંબંધવાળા છે તથા ૧૪ દેવકૃત અતિશય તો સ્પષ્ટ દેવો વડે કરાયેલા જ છે. એ બધા તીર્થકર અરહંતોને જ હોય છે, બધા અરહંતોને નહિ. આઠ પ્રાતિહાર્ય પણ બાહ્ય વિભૂતિ છે. પરંતુ અનંત ચતુષ્ટય આત્મા સાથે સંબંધ રાખે છે તેથી તે પ્રત્યેક અરહંતને હોય છે. તેથી નિશ્ચયથી તે જ અરહંતના ગુણ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34