Book Title: Balbodh Pathmalal 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 27
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates વિધાર્થી અને વસ્તુત્વ...? શિક્ષક– જે શક્તિના કારણે દ્રવ્યમાં અર્થક્રિયા (પ્રયોજનભૂત ક્રિયા) થાય, તેને વસ્તુત્વ ગુણ કહે છે. વસ્તુત્વગુણની મુખ્યતાથી જ દ્રવ્યને વસ્તુ કહે છે. કોઈ પણ વસ્તુ લોકમાં ૫૨ના પ્રયોજન માટે નથી, પણ દરેક વસ્તુ પોતપોતાના પ્રયોજનથી યુક્ત છે કેમકે તેમાં વસ્તુત્વ ગુણ છે. વિધાર્થી- દ્રવ્યત્વ ગુણ કોને કહે છે? શિક્ષક- જે શક્તિના કારણે દ્રવ્યની અવસ્થા નિરંતર બદલતી રહે તેને દ્રવ્યત્વ ગુણ કહે છે. દ્રવ્યત્વ ગુણની મુખ્યતાથી વસ્તુને દ્રવ્ય કહે છે. એક દ્રવ્યમાં પરિવર્તનનું કારણ કોઈ બીજું દ્રવ્ય નથી કેમકે તેમાં દ્રવ્યત્વ ગુણ છે, તેથી તેનું પરિણામ થવામાં પરની અપેક્ષા નથી. વિદ્યાર્થી- આ ત્રણ ગુણોમાં તફાવત શું થયો ? શિક્ષક અસ્તિત્વ ગુણ તો માત્ર ‘છે' પણું બતાવે છે. વસ્તુત્વ ગુણ ‘નિરર્થક નથી' એમ બતાવે છે અને દ્રવ્યત્વ ગુણ ‘નિરંતર પરિણમનશીલ છે' એમ બતાવે છે. , વિધાર્થી– પ્રમેયત્વ ગુણ કોને કહે છે? શિક્ષક- જે શક્તિના કારણે દ્રવ્ય કોઈને કોઈ જ્ઞાનનો વિષય હોય તેને પ્રમેયત્વ ગુણ કહે છે. વિદ્યાર્થી- ઘણીયે વસ્તુઓ અત્યંત સૂક્ષ્મ હોય છે તેથી તે સમજવામાં આવતી નથી કેમકે તે દેખાતી જ નથી. જેમકે આપણો આત્મા જ છે, તેને કેવી રીતે જાણવો; તે તો દેખાતો જ નથી ? ૨૨ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34